પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના મેન્ટલ વાળા રસ્તાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કપચી અને મેન્ટલ નાખ્યા બાદ ડામર કામ ન થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે ગામના વાહનચાલકોને મેન્ટલ વાળા રસ્તાને કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઘણો સમય વીતવા છતાં ડામર કામ ન થતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂક્તો જોવા મળે છે.