ચોટીલા તાલુકાના ડાકવડલા ગામે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી એક શખ્સને છરી તેમજ લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડયાની નાની મોલડી પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડાકવડલા ગામે રહેતા ફરિયાદી ધુધાભાઈ મોતીભાઈ ગીગૈયા બાઈક લઈને ગામમાં આવેલા રામજી મંદિરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતો રવિભાઈ બાબભાઈ વિકમા પોતાના ઘર બહાર બેઠો હતો અને ફરિયાદીને અહીંથી નહીં નીકળવાનું જણાવી કાંઠલો પકડયો હતો. તે દરમિયાન દિલીપભાઈ બાબભાઈ વિકમા એન બાબભાઈ નાથાભાઈ વિકમા પણ આવી પહોંચતા ફરિયાદીને છરી વડે એક ઘા ઝીંક્યો હતો. તેમજ હાથ પર લાકડાનો ધોકો માર્યો હતો અને વધુ માર મારી અપશબ્દો બોલી નાસી છુટયા હતા. ઈજાગ્રસ્તને સારવાર અર્થે કુવાડવા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે રવિભાઈ વિકમા, દિલીપભાઈ વિકમા અને બાબભાઈ વિકમા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ગામમાં રહેતા બાબુભાઈ ટપુભાઈ ગીડાને બાબભાઈ નાથાભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બાબુભાઈ ફરિયાદી સાથે બેઠા હતા તે બાબતનો વહેમ રાખી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কাৰোবাৰ পৰা এটকা ঘোচ লোৱা বুলি প্ৰমাণ দিলে মই সাংবাদিকতা এৰি পথাৰত হাল বাম- নিতুমণি শইকীয়া
কাৰোবাৰ পৰা এটকা ঘোচ লোৱা বুলি প্ৰমাণ দিলে মই সাংবাদিকতা এৰি পথাৰত হাল বাম- নিতুমণি শইকীয়া
গুৱাহাটীৰ বৰা চাৰ্ভিচৰ Waves স্পাত আচলতে কি চলে ? কোনে কাক মাছাজ দিয়ে।
গুৱাহাটীৰ বৰা চাৰ্ভিচৰ Waves স্পাত আচলতে কি চলে ? কোনে কাক মাছাচ দিয়ে।
જસદણ ચીતલીયા કારખાનાં માંથી 220કી લો એલ્યુમિનિયમ ચોરી કરતા તસ્કરો
જસદણ ચીતલીયા કારખાનાં માંથી 220કી લો એલ્યુમિનિયમ ચોરી કરતા તસ્કરો
Breaking News: Agniveer ने की खुदकुशी, डेढ़ साल पहले हुआ था भर्ती | Agra News | Aaj Tak
Breaking News: Agniveer ने की खुदकुशी, डेढ़ साल पहले हुआ था भर्ती | Agra News | Aaj Tak
પાલીતાણા ખાતે કરાયેલ તોડફોડના વિરોધમાં જૈન સંઘ મહુવા દ્વારા બાઈક રેલી યોજી આવેદનપત્ર અપાયું.
પાલીતાણા ખાતે કરાયેલ તોડફોડના વિરોધમાં જૈન સંઘ મહુવા દ્વારા બાઈક રેલી યોજી આવેદનપત્ર અપાયું.