ધ્રાંગધ્રા તાલુકાના માલવણ રોડ ઉપર આવેલ ધ્રુમઠ ગામથી સહેજ નજીક ચોકડી પાસે ધ્રુમઠ ગામના ઋતુરાજભાઈ કોળી એ રોડ ઉપર ગંભીર હાલતમાં એક અજાણ્યા ઈસમને જોવેલ હતો. ત્યારબાદ તત્કાલ ઘટનાની જાણ તાલુકા પોલીસ ને અને 108 એમ્બયુલેન્સમાં કરવામાં આવી હતી અને અજાણ્યા ઈસમને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જો કે બેશુદ્ધ અવસ્થામાં ઈસમને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર દરમિયાન ઈસમ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્રારા મોત જાહેર કરી વ્યક્તિ કોણ હતો અને તેની સાથે કોઈ ઘટના બની હતી કે કુદરતી માંદગી હતી એ દિશામાં તાલુકા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.