ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ અલી હૈદર રદીઅલ્લાહૂ તઆલા અન્હુ ના વંશ જ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની યાદમાં દર વર્ષે પરંપરાગત રીતે મનાવવામાં આવતા કુંડાના તહેવારની સમગ્ર કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દૂધની ખીર અને પુરી બનાવી નિયાઝ માટે સગાસંબંધીઓ મિત્રો અને નાના ભૂલકાઓ ને આમંત્રિત કરી ઉજવણી કરાઈ હતી.જ્યારે ઇસ્લામ ધર્મના રજબ માસની ૨૨મી તારીખે આ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની તેઓની યાદમાં કુંડાની નિયાઝ બનાવવામાં આવે છે આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની શક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદમાં ફાતેહા પઢી તમામ મિત્રો અને સગાસંબંધીઓ નાના ભૂલકાઓ ને ઘરે બોલાવી નિયાઝ પીરસવામાં આવે છે.વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને નાના ભૂલકાઓથી લઈ પુરૂષો અને મહિલાઓ એકબીજા ના ઘરે જઈ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે નાના ભૂલકાઓ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તહેવાર ની ઉજવવાની પ્રમાણિકતા ની જેમ "નિયાઝ ઔર નમાઝ" નામની ફિલ્મ પણ બની ચુકી છે જેમાં આ કુંડાના તહેવાર અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે વહેલી સવારથી કાલોલમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय मंत्री का विवादित बयान! कहा- UPSC पास करने वाले ज्यादातर अधिकारी डकैत होते हैं...
केंद्रीय मंत्री टुडू ने कहा, 'अगर वाकई में ये लोग शिक्षित हैं तो हमारे समाज में अन्याय और करप्शन...
বিশ্বনাথত অৰুণোদয় মাহ-২০২২ উপলক্ষে চুপাৰভাইজাৰ, ভেৰিফিকেচন টীমক জিলা প্ৰশাসনৰ প্ৰশিক্ষণ
অৰুণোদয় মাহ - ২০২২' উদযাপন উপলক্ষে অৰুণোদয় 'চুপাৰভাইজাৰ' আৰু 'ভেৰিফিকেচন টীম'ৰ এক প্ৰশিক্ষণ...
शाहनगर पुलिस द्वारा 01 अपहृत बालिका को किया गया दस्तयाब
पन्ना : पुलिस अधीक्षक पन्ना श्री धर्मराज मीना द्वारा पन्ना जिले के समस्त थाना...