ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ અલી હૈદર રદીઅલ્લાહૂ તઆલા અન્હુ ના વંશ જ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની યાદમાં દર વર્ષે પરંપરાગત રીતે મનાવવામાં આવતા કુંડાના તહેવારની સમગ્ર કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દૂધની ખીર અને પુરી બનાવી નિયાઝ માટે સગાસંબંધીઓ મિત્રો અને નાના ભૂલકાઓ ને આમંત્રિત કરી ઉજવણી કરાઈ હતી.જ્યારે ઇસ્લામ ધર્મના રજબ માસની ૨૨મી તારીખે આ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની તેઓની યાદમાં કુંડાની નિયાઝ બનાવવામાં આવે છે આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની શક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદમાં ફાતેહા પઢી તમામ મિત્રો અને સગાસંબંધીઓ નાના ભૂલકાઓ ને ઘરે બોલાવી નિયાઝ પીરસવામાં આવે છે.વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને નાના ભૂલકાઓથી લઈ પુરૂષો અને મહિલાઓ એકબીજા ના ઘરે જઈ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે નાના ભૂલકાઓ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તહેવાર ની ઉજવવાની પ્રમાણિકતા ની જેમ "નિયાઝ ઔર નમાઝ" નામની ફિલ્મ પણ બની ચુકી છે જેમાં આ કુંડાના તહેવાર અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે વહેલી સવારથી કાલોલમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গীত আৰু কবিতাৰ সংকলন "বিৱৰ্তন" উন্মোচন
যোৱা ৩০ অক্টোবৰত অৱসৰী শিক্ষক, সাহিত্যনুৰাগী চন্দ্ৰ কান্ত শৰ্মাৰ গীত আৰু কবিতাৰ সংকলন...
વઢવાણનો લોકમેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો
વઢવાણ: છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા સમયના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા...
ખારા ગામે બિરાજમાન મહાકાળી માતાજી ના મંદિર ખાતે ભક્તો ઉમટ્યા
ખારા ગામે બિરાજમાન મહાકાળી માતાજી ના મંદિર ખાતે ભક્તો ઉમટ્યા
মৰাণহাট নাট্যমন্দি ৰত বিজেপিৰ মৰাণ মণ্ডলৰ কাৰ্য্যনিৰ্বাহক সভা সম্পন্ন, উপস্থিত জিলা বিজেপিৰ সভাপতি লক্ষীনাথ তাছা।
চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত মৰাণহাটত অৱস্থিত মিলিত শিল্পী সমাজৰ নাট্যমন্দিৰত বিজেপিৰ...
Delhi News: CM Atishi ने सड़कों की स्थिति का निरीक्षण करने के बाद कह दी बड़ी बात | AAP | Aaj Tak
Delhi News: CM Atishi ने सड़कों की स्थिति का निरीक्षण करने के बाद कह दी बड़ी बात | AAP | Aaj Tak