કાલોલ તાલુકાના વેજલપુર ખાતે રહેતા હુસેનભાઇ મહમદભાઈ ભોળા દ્વારા કાલોલ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ગોધરાના રમેશભાઈ નાથાભાઈ વણકર વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ વર્ષ ૨૦૧૮ માં ફરિયાદ દાખલ કરી હતી જેની મુખ્ય વિગતો જોતા વર્ષ ૨૦૧૬ મા આરોપીએ પોતાના મકાન નુ બાંધકામ કરવા માટે ફરીયાદી સાથે કરાર કર્યો હતો અને રૂ ૮૦૫/ પ્રતી ચો.મી નો ભાવ નક્કી કરી બાંધકામ પુર્ણ થતા રૂ ૫,૫૦,૦૦૦/ આપવાના નક્કી કરેલ. ફરીયાદીના જણાવ્યા મુજબ આ રકમ પેટે આરોપીએ રૂ. ૫,૫૦,૦૦૦/ નો ચેક વડોદરા ગુજરાત ગ્રામીણ બેંક વાઘજીપુર શાખાનો ફરિયાદીને આપેલ જે ચેક ફરિયાદીએ વેજલપુર ખાતેની દેના બેન્કમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે પરત ફરેલ જેની ફરિયાદીએ આરોપીને નોટિસ આપેલ અને ત્યારબાદ ચેક ના નાણા નહીં મળતા કલોલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી તરફથી એડવોકેટ એસ.એસ શેઠ દ્વારા ફરિયાદીની ઉલટ તપાસ કરતા ફરિયાદીએ એ વાતનો સ્વીકાર કરેલ કે આરોપીએ સાડા પાંચ લાખ રૂપિયાની રકમ પેટે સાડા ત્રણ લાખ રૂપિયા તેને ચૂકવી આપ્યા હતા. ફરિયાદીએ વધુમાં એ પણ સ્વીકાર કરેલું હતું કે સાડા ત્રણ લાખ રૂપિયા પોતાને મળી ગયા છે તે વાતનો તેને ફરિયાદમાં કે તેની સર તપાસમાં એકરાર કરેલ નથી વધુમાં ફરિયાદીએ એ વાતનો પણ એકરાર કરેલ કે મકાન બનાવવામાં જે રકમ ખર્ચ કરેલ તે રકમ ના વ્યવહારોનો તેની પાસે કોઈ આધાર પુરાવો નથી સમગ્ર બાબતે એપેક્સ કોર્ટના જુદા જુદા ચુકાદાને આધારે તેમજ આરોપીના વકીલ એસ.એસ શેઠ દ્વારા કરેલી દલીલો ને ધ્યાને લઈ કાલોલ કોર્ટ દ્વારા ફરીયાદી પોતાની ફરિયાદ ના સમર્થન મા કોઈ દસ્તાવેજી તેમજ મૌખીક પુરાવા રજૂ કરી શકેલ નથી ફરિયાદી જે તકરારી રકમ ઉપર આધાર રાખે છે તે શંકા રહિત સાબિત કરવાની જવાબદારી ફરિયાદીને પોતાની છે તેમ છતાં રૂ.૩,૫૦,૦૦૦/ ચુકવ્યા હોવાની મહત્વની હકીકત છુપાવેલ છે જેથી ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરી ન શકવાથી કાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર જી.યાદવે ફરિયાદીની ફરિયાદ રદ કરી આરોપીને છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માળીયા અને માંગરોળ તાલુકા ના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા ના હસ્તે 66KV નું કરવામાં આવ્યું ઉદઘાટન
જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા અને માળીયા હાટીના તાલુકા ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સતા માં...
Coronavirus के बीच मंडराने लगा Pakistan में Monkeypox का खतरा
पाकिस्तान (Pakistan) ने विदेश से आने वाले लोगों में मंकीपॉक्स के पहले दो मामलों का पता लगाया...
વિસનગરમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલની ભવ્ય કેસરિયા રેલી; મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં જોડાયા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. જેમાં પ્રચારનો...
बीजाखेड़ा में 16 वर्षीय किशोरी को सर्प ने काटा,सीएचसी शाहनगर में प्राथमिक कर किया जिला चिकित्सालय कटनी रेफर
मामला कल शाम करीब 4 बजे का है जब बीजाखेड़ा निवासी 16 वर्षीय...
ग्रामपंचायत निवडणुकीत शिवसेनेचा (उद्धव बाळासाहेब ठाकरे) भगवा फडकला
शिवसेना ७६, राष्ट्रवादी २८ काँग्रेस १८, शिंदे गट २६ भाजपा ४१ महाविकासघडी १७, अन्य १३ जागांसह एकूण २१९ ग्रामपंचायतिचे संख्याबळ निश्चित झाले
औरंगाबाद: २० डिसेंबर (दीपक परेराव)जिल्ह्यातील २१९ ग्रामपंचायतीसाठी आज सकाळी १०:०० वाजल्यापासून...