સુરેન્દ્રનગર મુળી રોડ પર ગોદાવરી ગામના બોર્ડ પાસે આવેલ પંચરની કેબીને ઉભેલા બે શખ્સોને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ, જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ટ્રકના ચાલક વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મુળી તાલુકાના ગોદાવરી ગામના બોર્ડ પાસે આવેલી પંચરની કેબીને ગોદાવરી ગામના જ ભયલાલભાઇ ઘનશ્યામભાઇ અગોલા અને જયેશભાઇ બાબુભાઇ જાદવ ઉભા હતા. તે દરમિયાન મુળી તરફથી પૂરઝડપે આવતા એક ટ્રકના ચાલકે કેબીને ઉભેલા બન્ને શખ્સોને અડફેટે લીધા હતા.જેમાં જયેશભાઇ બાઇક પર બેઠા હોય ટ્રક જયેશભાઇ તેમજ બાઇકને કચડીને નજીકમાં આવેલી બોરડી સાથે ભટકાયો હતો અને બોરડી નીચે પડતા કેબીનભાંગી જતાં ભયલાલભાઇને પણ ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ ટ્રક વાડીમાં પલ્ટી ખાઇ ગયો હતો. આ ઘટનામાં જયેશભાઇને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. જ્યારે ભયલાલભાઇને ઇજાઓ પહોંચી હતી. આથી ભયલાલભાઇએ ટ્રકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ নগৰ পৰিচ্ছন্নতা অভিযান
মৰাণ নগৰ পৰিচ্ছন্নতা অভিযান
Dark Truth Of TAJMAHAL | Explain By Rich Philosopher
ताजमहल की वो खतरनाक बाते जो आपको पता नही होगी.
ताजमहल किसने बनाया उसका पूरा सच जान लो.
ওদালগুৰিৰ কালিখোলাত ৰঙালী বিহু উদযাপন
ওদালগুৰিৰ কালিখোলাত ৰঙালী বিহু উদযাপন
Kolhapur : श्री गुरुदत्त नागरी सहकारी पत संस्थेची सर्वसाधारण सभा उत्साहात...BPN news network
Kolhapur : श्री गुरुदत्त नागरी सहकारी पत संस्थेची सर्वसाधारण सभा उत्साहात...BPN news network
લીલાશાહ મહારાજની 143મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ....
લીલાશાહ મહારાજની 143મી જન્મ જયંતી: ડીસામાં સિંધી સમાજના સંત શિરોમણી મહારાજની જયંતીની ઉજવણી;...