૬૩૬ રોહિત સમાજના સમાજ બંધુઓ પંચમહાલ,મહીસાગર, વડોદરા,આણંદ, ખેડા અને અમદાવાદ એમ છ જિલ્લામાં વિસ્તરેલછે.આ સમાજના સામાજિક સુધારા માટે અને કુરિવાજોની નાબુદી માટે, શૈક્ષણિક અને આર્થિક ઉન્નતિ માટે સામાજિક બંધારણ બનાવી તેને બહાલી આપવા માટે સાત પર ગણા સમૂહના ટીંબા ગામ ખાતે અંદાજે પાંચ હજાર જેટલા સમાજના આગેવાનો, કાર્યકરો,સમાજ બંધુઓ માતાઓ,બહેનો,દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારા અને શરણાઈના સુરો સાથે દીકરીઓ દ્વારા સામૈયું કરી સહુને પુષ્પોથી વધાવી સ્વાગત કરાયુ હતું.સંત શિરોમણી રોહિદાસ મહારાજ અને ડૉ.બાબા સાહેબ આંબેડકરને માલ્યાર્પણ કરી દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે બલ્ડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ટીંબા ગામ ની દીકરીઓ દ્વારા રોહિદાસ મહારાજની પ્રિય પ્રાર્થના પ્રભુજી તુમ ચંદન હમ પાની..પ્રાર્થના તથા સ્વાગતગીત રજૂ કર્યા હતા.શબ્દોથી સ્વાગત સાત પરગણા સમૂહના પ્રમુખ કે.ડી.પરમારે કર્યું હતું.ત્યારબાદ સાત પર ગણા સમૂહના તમામ પ્રમુખ ઓ તથા ટીંબા ગામ ના આગેવાનો દ્વારા ગુલાબની પાંદડીઓ ની પુષ્પવૃષ્ટિ કરી સહુનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવાચનો પૂજાભાઈ ખંભાળી,મણિલાલ વાનોતી, આર.કે.સોનારા સાઢેલી, મહિજીભાઈ કહાનવાડી ઇતિહાસમાં પ્રથમ વખત બંધારણમાં સ્ત્રી સશક્તિકરણ ની વાત તથા બહેનોને સમાન ભાગીદારી ની વાત મધુબેન તથા ઇન્દુબેન વાળા એ રજૂ કરી બંધારણ ની સમજ આપી હતી. સામાજિક બંધારણની રચના વિશે સુરેશભાઈ કોઠંબાએ વાત રજૂ કરી હતી.સામાજિક બંધારણના મુસદ્દાઓનું વાંચન કરવામાં આવ્યું હતું.જેમાં (૧)લગ્ન પહેલાં પ્રાથમિક પસંદગી-નરેન્દ્રભાઈ જેઠોલી(૨)સગાઈ અને વ્યવહાર-ડો.વસંત ચાવડા કથાણા(૩)પુનઃલગ્ન,બીજવર, દ્વિ પત્ની-રમણભાઈ ઘોઘંબા (૪) સીમંત પ્રસંગ અને વ્યવહારો -રસિકભાઈ મહેમદાવાદ (૫)મરણોત્તર ક્રિયાઓ અને વ્યવહારો -મગનભાઈ વડેલી(૬)છૂટાછેડા-પ્રો.મહેશભાઈ ઘોઘાવાળા અને દિનેશભાઇ ખેરડા (૭)સામાજિક બંધારણનું અમલીકરણ-પ્રેમજીભાઈ ખીજલપુર(૮)સામાજિક બંધારણની મર્યાદા અને શિક્ષણફંડ બાબુભાઈ સાંઢાસાલ ત્યારબાદ એક પાત્રિય અભિનય બાળા દ્વારા અદ્ભૂત રીતે રજૂ કરાયું હતું.કાર્યક્રમનો સારાંશ-પુસ્તિકા છપાવવાની અનુમતિ,તેમજ સામાજિક બંધારણના અમલીકરણની જાણકારી,પ્રિન્ટિંગ કમિટીની રચના વિશે વિશાળ જન સમુદાયને જગદીશભાઈ મકવાણા મધવાસ દ્વારા સમજ આપી આ બંધારણનો અમલ તારીખ ૨૪/૦૨/૨૦૨૪ માધી પૂનમ રોહિદાસ મહારાજ ની જન્મજયંતી થી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેને સહુ સમાજ બંધુઓએ ઉમળકાભેર વધાવી લીધી હતી. પ્રતિજ્ઞા વાંચન ચંદ્રકાન્તભાઈ વળદલા અને પ્રો.કનુભાઈ વાળા એ કર્યું હતું.ડી.કે.અંજારીયા, એલ.ડી.જાદવ,સુનિલભાઈ પાલ્લા નિલેશભાઈ અભેટવા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરસોત્તમભાઈ ભુરખલ, દિનેશભાઇ તરખંડા,રોહિતભાઈ ડેસરીયા,ચંદ્રકાન્ત ટૂંડેલ, દિનેશભાઇ ઉમરેઠ અને કિરીટભાઈ સામાયા દ્વારા કરવામાં આવ્યુ.આભાર વિધિ પ્રવીણભાઈ મકવાણા ટીંબા ગામ એ કરી હતી.રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમ ની પુર્ણાહુતી કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  राजस्थान में आज से दो दिन कमजोर रहेगा मानसून:11 जिलों में हो सकती है हल्की बारिश 
 
                      राजस्थान में भारी बारिश का दौर आज से थम गया। अगले दो दिन राज्य में कुछ स्थानों पर छुटपुट बारिश को...
                  
   Jammu Kashmir में नार्को टेरर का बड़ा प्लान हुआ फेल, पाकिस्तान की थी साज़िश? 
 
                      Jammu Kashmir में नार्को टेरर का बड़ा प्लान हुआ फेल, पाकिस्तान की थी साज़िश?
                  
   মাজুলীত মিচিং স্বায়ত্ব শাসিত পৰিষদৰ উদ্যোগত তৰুণ চন্দ্ৰ পামেগামৰ বৃহৎ প্ৰতিমূৰ্তি উন্মোচন : গড়মূৰত  বৃহৎ কেন্দ্ৰীয় কাৰ্যসূচী : গড়মূৰত তৰুণ চন্দ্ৰ পামেগামৰ মৃত্যু বাৰ্ষিকী পালন : 
 
 
                       মাজুলীৰ সু- সন্তান, অসম সাহিত্য সভাৰ উপ- সভাপতি, প্ৰসিদ্ধ সাহিত্যিক, গণশিল্পী, নাট্যকাৰ ,...
                  
   શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ 
 
                      શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...
                  
   
  
  
  
  