વડોદરા ખાતે હરણી તળાવ માં ન્યુ સન રાઈઝ સ્કુલના નાનાં નાનાં ભૂલકાંઓ અને શિક્ષકો ની ડુબવા ની હ્રદયદ્રાવક ધટનાથી દુઃખ સાથે આધાત નો આંચકો અનુભવાયો છે ત્યારે બાળકો અને શિક્ષકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં માટે આજરોજ શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શાળા ના શિક્ષકો અને બાળકો દ્વારા મીણબતી પ્રજ્વલિત કરી મૌન પાળી પ્રાર્થના કરી પરમ કૃપાળુ પરમાત્મા સદગત ના દિવ્ય આત્માઓને ચિર શાંતિ અર્પે તેવી પ્રભુને પ્રાર્થના કરી અને પરિવાર પર આવી પડેલ આ દુઃખદ પરિસ્થિતિ ને સહન કરવાની પ્રભુ શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી