ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.