વઢવાણ ખાતે આવેલ આનંદભુવન ખાતે સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોળી સમાજના જિલ્લાભરના સામાજીક અને રાજકીય આગેવાનો સહિત યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોળી સમાજને વધુ સંગઠિત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર વઢવાણ ખાતે આવેલ આનંદભુવનમાં સુરેન્દ્રનગર જીલ્લા સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોળી સમાજનો સામાજીક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય સહિત દરેક ક્ષેત્રે સર્વાગી વિકાસ થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ કોળી સમાજના આગેવાનો કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોય પરંતુ કોળી સમાજની એકતા ટકાવી રાખવા આહવાન કર્યું હતુ.જ્યારે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આંતરિક રાજકીય ભેદભાવ ભૂલી કોળી સમાજ વધુ સંગઠિત થાય તે અંગે પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી. આ તકે વઢવાણ કોઠારીયા રામરણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ તેમજ ચોટીલા કાળાસર કોળી સમાજની જગ્યાના મહંત વાલદાસ બાપુ સહિત તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનો ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, સોમાભાઇ પટેલ સહિત જીલ્લાભરમાં થી તળપદા કોળી સમાજના આગેવાનો, હોદેદારો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાબરા પો.સ્ટે.ના ખંભાળા રોડ ઉપર અલ્ટો ૮૦૦ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો નંગ .૬૪ તથા વાહન સહિત કુલ કિ . ૨,૨૫,૦૧૫ ના મુદ્દામાલ સાથે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાબરા પોલીસ ટીમ
બાબરા પો.સ્ટે.ના ખંભાળા રોડ ઉપર અલ્ટો ૮૦૦ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો...
અધિક નિવાસી કલેકટરશ્રી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં ક્લાઇમેન્ટ ચેન્જ એન્ડ હેલ્થ ટાસ્ક ફોર્સ અને ગવર્નિંગ બોડીની બેઠક મળી
લોકોમાં પર્યાવરણ અને જતન જાગૃતિ આવે તે હેતુસર જિલ્લામાં ક્લાઇમેન્ટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ગવનિંગ...
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા નો સપાટો કરોડો રૂપિયા નો ગોટાળો હોવાનો આરોપ શા માટે લગાડ્યો ?
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા નો સપાટો કરોડો રૂપિયા નો ગોટાળો હોવાનો આરોપ શા માટે લગાડ્યો ?
ऑडीके एप "मरुधर"के माध्यम से अब डेंगू, मलेरिया पर होगा कंट्रोल
शुक्रवार को स्वास्थ्य भवन मै सीएमएचओ डॉ ओ पी सामर की अध्यक्षता में जिला स्तरीय वीसी का आयोजन हुआ।...
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહની જંગી જાહેરસભા યોજાઈ.
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહની જંગી જાહેરસભા યોજાઈ.