વઢવાણ ખાતે આવેલ આનંદભુવન ખાતે સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોળી સમાજના જિલ્લાભરના સામાજીક અને રાજકીય આગેવાનો સહિત યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોળી સમાજને વધુ સંગઠિત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર વઢવાણ ખાતે આવેલ આનંદભુવનમાં સુરેન્દ્રનગર જીલ્લા સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોળી સમાજનો સામાજીક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય સહિત દરેક ક્ષેત્રે સર્વાગી વિકાસ થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ કોળી સમાજના આગેવાનો કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોય પરંતુ કોળી સમાજની એકતા ટકાવી રાખવા આહવાન કર્યું હતુ.જ્યારે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આંતરિક રાજકીય ભેદભાવ ભૂલી કોળી સમાજ વધુ સંગઠિત થાય તે અંગે પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી. આ તકે વઢવાણ કોઠારીયા રામરણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ તેમજ ચોટીલા કાળાસર કોળી સમાજની જગ્યાના મહંત વાલદાસ બાપુ સહિત તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનો ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, સોમાભાઇ પટેલ સહિત જીલ્લાભરમાં થી તળપદા કોળી સમાજના આગેવાનો, હોદેદારો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ কাষৰীয়া মৰঙিৰ ফলঙনিৰ বিশিষ্ট হোমি'অ চিকিৎসক ,সমাজকৰ্মী, ডাঃ মেৰাজুদ্দিন আহমেদৰ দেহাৱসান,
নুমলীগড়ৰ কাষৰীয়া মৰঙীৰ ফলঙনিৰ বিশিষ্ট সমাজকৰ্মী,সাংস্কৃতিক কৰ্মী, ডা:মেৰাজউদ্দিন আহমেদ,...
વડાપ્રધાન બપોરે 2.30 કલાકે જ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે, ત્યાં જ લેશે સરકાર અને સંગઠનના ક્લાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે 2.30 કલાકે તેઓ...
নাৰায়ণপুৰত জাতীয় শ্বহীদ আৰু নিৰ্যাতিত পৰিয়ালৰ একাদশ দ্বি-বাৰ্ষিক অধিৱেশ আয়োজন
সদৌ অসম জাতীয় শ্বহীদ পৰিয়াল সমন্বয়ৰক্ষী পৰিষদৰ একাদশ দ্বি-বাৰ্ষিক অধিবেশনখন লখিমপুৰ জিলা...
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દાહોદના લક્ષ્મીબેન પરમારે નવા વર્ષનો પ્રારંભ નવા ઘરમાં કર્યો.
દાહોદના દેલસર ગામના લક્ષ્મીબેન ઉમેશભાઈ પરમાર આ નૂતન વર્ષ તેમના નવા ઘરમાં હર્ષોલ્લાસ સાથે...