વઢવાણ ખાતે આવેલ આનંદભુવન ખાતે સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોળી સમાજના જિલ્લાભરના સામાજીક અને રાજકીય આગેવાનો સહિત યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોળી સમાજને વધુ સંગઠિત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર વઢવાણ ખાતે આવેલ આનંદભુવનમાં સુરેન્દ્રનગર જીલ્લા સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોળી સમાજનો સામાજીક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય સહિત દરેક ક્ષેત્રે સર્વાગી વિકાસ થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ કોળી સમાજના આગેવાનો કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોય પરંતુ કોળી સમાજની એકતા ટકાવી રાખવા આહવાન કર્યું હતુ.જ્યારે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આંતરિક રાજકીય ભેદભાવ ભૂલી કોળી સમાજ વધુ સંગઠિત થાય તે અંગે પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી. આ તકે વઢવાણ કોઠારીયા રામરણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ તેમજ ચોટીલા કાળાસર કોળી સમાજની જગ્યાના મહંત વાલદાસ બાપુ સહિત તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનો ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, સોમાભાઇ પટેલ સહિત જીલ્લાભરમાં થી તળપદા કોળી સમાજના આગેવાનો, હોદેદારો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  डीजीके महाविद्यालयामार्फत दिशा झोरेचा सत्कार 
 
                      रत्नागिरी: मुंबई विद्यापीठ आणि के. एम. सी. महाविद्यालय, खोपोली यांच्या संयुक्त विद्यमाने...
                  
   High Tide In Mumbai: हाई टाइड को लेकर Alert पर मुंबई, Marine Drive से सामने आया Video | Aaj Tak 
 
                      High Tide In Mumbai: हाई टाइड को लेकर Alert पर मुंबई, Marine Drive से सामने आया Video | Aaj Tak
                  
   @KHABR DAR WEB અરનાલા ગામે શ્રી રામ કથાનો ભવ્ય પ્રારંભ..જુઓ વિડીયો 
 
                      @KHABR DAR WEB અરનાલા ગામે શ્રી રામ કથાનો ભવ્ય પ્રારંભ..જુઓ વિડીયો
                  
   તળાજામાં આવેલ ઠાકોરજી મંદિરે બહેનો અને માતાઓ દ્વારા 56 ભોગનો થાળ ધરવામાં આવ્યો 
 
                      તળાજામાં આવેલ ઠાકોરજી મંદિરે બહેનો અને માતાઓ દ્વારા 56 ભોગનો થાળ ધરવામાં આવ્યો
                  
   
  
  
  
   
   
  