હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એતિહાસિક પુનરાવર્તનની મંગલ ઘડીઓ નજીક આવી રહી છે તે અનુસંધાને અયોધ્યા મુકામે હાલ નિર્માણાધિન રામમંદિરમાં આગામી 22 જાન્યુ. ના રોજ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને લઈ સૌ કોઈ ઉત્સાહિત છે. રામ મંદિર માટે ગુજરાતના ભાવિક ભક્તોએ બનાવેલ ધનુષ, મંદિરનો મુખ્ય ઘંટ, વિશેષ ધાતુઓના મિશ્રણથી બનેલ વિશાળ દિવડો પ્રભુશ્રી રામ મંદિરની શોભા વધારવા અયોધ્યાના માર્ગે છે ત્યારે વડોદરાના રામભક્ત વિહાભાઈ ભરવાડે 276 કીલો ગૂગળ, 192 કીલો ગીરની ગાયનું સુદ્ધ ઘી, 1475 કીલો ગીર ગાયના છાણનો પાવડર, 425 કીલો હવન સામગ્રી ઉપરાંત તલ, જવ, કોપરાના છીણ વગેરેના ઉપયોગથી બનાવેલ 3500 કીલો વજનની 3.5 ફૂટ પહોળી અને 108 ફૂટ ઊંચી આગરબત્તીએ આજે વડોદરાથી અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું હતું. જે કાલોલ ખાતે આવી પહોંચતા હાઇ - વે ને અડીને આવેલ તાલુકા પંથકમાં ગ્રામ્ય વિસ્તારો અને કાલોલ નગર ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. જાજવલ્યમાન અગરબત્તીના સ્વાગત અને દર્શનો માટે કાલોલ બોરું ટરનિંગથી ગોકુલધામ સોસાયટી સુધીના માર્ગે ભક્ત મહેરામણ ઉમટી પડ્યો હતો. કાલોલ બસ સ્ટેન્ડ પાસે હિન્દુ યુવા સંગઠન, ડેરોલ ચોકડી નજીક નજીક ધી એમ.જી.એસ હાઇસ્કુલ અને શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ, કેળવણી મંડળના હોદ્દેદારો અને અંબિકા સોસાયટી ખાતે સોસાયટીના રહીશોએ અગરબત્તીને ફૂલ પાંખડીથી વધાવી દર્શન અને સ્પર્શ માત્રથી ધન્યતા અનુભવી હતી. આ વેળાઓએ પ્રભુ શ્રી રામના ગગનચુંબી જયઘોષથી વાતાવરણ રામ મય બન્યું હતું.અગરબત્તીની બનાવટને લઈ જણાવાઈ રહ્યું હતું કે આ અગરબત્તી અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થયા બાદના 45 દિવસો સુધી આ પવિત્ર ભૂમિને સુગંધિત રાખશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાસણના રાજાના કિલ્લા ઉપર બીજા રાજાએ કરી ચઢાઈ, જુઓ પછી શું થયું
સાસણના રાજાના કિલ્લા ઉપર બીજા રાજાએ કરી ચઢાઈ, જુઓ પછી શું થયું
दुष्कर्म के आरोपी को दस वर्ष के कठोर कारावास एवं 25 हजार रूपये जुर्माना की सजा
बूंदी। दबलाना थाने में दर्ज करीब एक साल पुराने मामले में न्यायालय पोक्सो क्रम संख्या 02 के...
২৫ আগষ্টত স্মাৰ্ট ইণ্ডিয়া হেকাথনৰ অংশগ্ৰহণকাৰী সকলৰে বাৰ্তালাপ কৰিব মোদীয়ে
নতুন দিল্লী, ২৩ আগষ্ট। ২৫ আগষ্টৰ সন্ধিয়া স্মাৰ্ট ইণ্ডিয়া হেকাথনৰ অংশগ্ৰহণকাৰীসকলৰ সৈতে...
સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેરેથોન યોજાઈ 2023 | AHMEDABADHEADLINENEWS
સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેરેથોન યોજાઈ 2023 | AHMEDABADHEADLINENEWS
पन्ना जिले की प्रधानमंत्री सड़कों में गड़बड़झाला!!
पन्ना जिले की प्रधानमंत्री सड़कों में गड़बड़झाला!!