વઢવાણ તાલુકાના લટુડા ગામની સીમમાં ટેપ વગાડવા બાબતે પાંચ શખ્સોએ દંપતિ સહીત 3 વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.લટુડા ગામની સીમમાં રહેતા અને ખેતમજુરી કરતા લાલાજીભાઇ ભાઇલાલભાઇ ધરજીયા વાડીમાં ટેપ વગાડતા હતા. તે દરમિયાન બાજુની વાડીમાં રહેતા બળદેવભાઇ મનજીભાઇ ચાવડા, વિજયભાઇ કરમશીભાઇ, રમેશભાઈ કાસાભાઇ, શ્રાવણભાઇ બળદેવભાઇ સાપરા અને હરેશભાઇ કાંતિભાઇ સહીતનાઓ ધસી આવ્યા હતાં.પાંચેય શખ્સો ટેપ વગાડવા બાબતે લાલાજીભાઇને અપશબ્દો બોલવા લાગતા લાલાજીભાઇના પત્નીએ અપશબ્દો બોલવાની ના પાડતા તેમને મુંઢ માર માર્યો હતો. તેમજ લાલાજીભાઇ અને તેમના ફઈ પર પણ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.જેથી દેકારો થતાં તમામ શખ્સો નાસી છુટયા હતા. જ્યારે લાલાજીભાઇને ઇજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વળાવડ ગામે વાલી સંમેલન યોજાયું હતું
કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ...
अडानी समूह इस राज्य में करेगा 60 हजार करोड़ का निवेश
इंदौर। मध्यप्रदेश की व्यापारिक नगरी में चल रही दो दिवसीय ग्लोबल इंवेस्टर्स समिट में हिस्सा लेने...
તામસા પાસે હિટ એન્ડ રન કેસમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું !
ખંભાત તાલુકાના ગોલાણા રોડ પર તામસા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર યુવકને અડફેટે લેતા...
સાવરકુંડલા મા હનુમાનજી મંદીરે તિરંગા લહેરાવ્યા
સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો...