લાલપુર તાલુકાના આરીખાણા અને રંગપુર ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા'' નું ઉમળકાભેર સ્વાગત કરાયુંવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ તળે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે, જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા'' નું ગામડે-ગામડે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લાલપુર તાલુકામાં આવેલા આરીખાણા અને રંગપુર ગામમાં ‘'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઇ.સી.ડી.એસ. વિભાગ, પશુપાલન- વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લાભાર્થીઓએ યોજનાના મળેલા લાભો વિશે મેરી કહાની, મેરી ઝુબાની સંવાદમાં ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતું ''ધરતી કહે પુકાર'' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. કાર્યક્રમ દરમિયાન, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી શ્રી ડૉ.સુનિલ ગુપ્તા, શ્રી ડૉ.મુકેશ કાપડીયા, ડી.પી.સી. શ્રી યગ્નેશ ખારેચા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણસિંહ જાડેજા, લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.પી.ડી.પરમાર, તલાટી મંત્રી શ્રી જયસુખભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Any Desk App कोणी डाउनलोड करायला सांगितलं तर सावधान..?एका सेकंदात गेले दोन लाख.. बघा काय घडलं...?
Any Desk App कोणी डाउनलोड करायला सांगितलं तर सावधान..?एका सेकंदात गेले दोन लाख.. बघा काय घडलं...?
कालपुरिया विद्यालय में स्वच्छता पखवाड़े के तहत हुआ पोस्टर प्रतियोगिता का आयोजन
बून्दी। राजकीय उच्च माध्यमिक विद्यालय कालपुरिया में शनिवार स्वच्छता पखवाड़ा 2024 मनाया...
নলবাৰী ৰাসত শোকাৱহ ঘটনা! খাদ্যত বিষক্রিয়া হৈ কিশোৰীৰ মৃত্যু
নলবাৰীত শোকাৱহ ঘটনা। খাদ্যত বিষক্রিয়া হৈ এগৰাকী কিশোৰীৰ মৃত্যু। মৃত কিশোৰীগৰাকীৰ নাম নাজমিন...
আজি শুভ মহাষষ্ঠী# বেলবৰণ#দেৱীৰ বোধন#
আজি মহাষষ্ঠী। প্ৰান্তে প্ৰান্তে শাৰদীয় দুৰ্গাপূজা উপলক্ষে দেৱীৰ আমন্ত্ৰণ আৰু অধিবাস...
Aryan Mishra Murder Case: आर्यन मिश्रा के हत्या के बाद पिता ने Haryana पुलिस से पुछे सवाल | Aaj Tak
Aryan Mishra Murder Case: आर्यन मिश्रा के हत्या के बाद पिता ने Haryana पुलिस से पुछे सवाल | Aaj Tak