સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ રોડ પર શહેરી વિસ્તારોને પાણી પુરૂ પાડતી મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી પાલિકા તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે સમસ્યા સર્જાઈ હોવાનો રોષ શહેરીજનોએ ઠાલવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના તમામ વોર્ડમાં સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ધોળીધજા ડેમ મારફતે પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર-ધોળીધજા રોડ પર શહેરી વિસ્તાર પાણી પુરૂ પાડતી પાઈપલાઈનમાં ભંગાણના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જ્યારે આ પાણી આસપાસના રહેણાંક વિસ્તારો સુધી પહોંચતા રહિશો સહિત વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અવાર-નવાર પાણી પહોંચાડતી પાઈપલાઈન તૂટી જવાના તેમજ લીકેજના બનાવો વધી રહ્યા હોવાથી પાલિકા તંત્ર દ્વારા પાઈપલાઈન નાંખવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ ઉઠયાં છે.સુરેન્દ્રનગર શહેરને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ રીઝર્વ ડેમ તરીકે જાહેર કર્યો હોવાથી બારે મહિના આ ડેમ છલોછલ પાણીથી ભરેલો હોવા છતાં શહેરી વિસ્તારમાં નિયમીત અને પુરતું પાણી મળતું ના હોવાની ફરિયાદો ઉઠે છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારો સુધી એક તરફ પીવાનું પાણી નથી મળી રહ્યું જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે અને લોકોને પાણી પુરૂ પાડતી પાઈપલાઈન નવી નાંખવામાં આવે અથવા યોગ્ય રીતે રીપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં E FIR નું માર્ગદર્શન નું આયોજન કરાયું
સિહોર સ્થિત જે જે મહેતા ગહ્સ સ્કૂલ ખાતે શહેર પોલીસના અધિકારી પીઆઇ ગોહિલના અધ્યક્ષ સ્થાને E fIR એપ...
ડીસામા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલ સદગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ડીસામા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલ સદગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
कदमवाकवस्तीच्या "सरपंच" पदी "चित्तरंजन गायकवाड" मोठ्या मताधिक्क्याने विराजमान
कदमवाकवस्तीच्या "सरपंच" पदी "चित्तरंजन गायकवाड" मोठ्या मताधिक्क्याने विराजमान
PM, लोकसभाध्यक्ष,रेल मंत्री, CM राजस्थान से वंचित क्षैत्र में रेल लाईन सर्वे व स्वीकृति जारी करवाने की मांग
बूंदी। भारत सरकार के रेल मंत्रालय ने लोकसभा में प्रस्तुत बजट में राजस्थान में 8 नयी रेल लाइने...
पीएम जन विकास कार्यक्रम के तहत प्राप्त प्रस्तावों का अनुमोदन प्राप्त लक्ष्यों की समय पर प्राप्ति सुनिश्चित हो - जिला कलक्टर
प्रधानमंत्री के अल्पसंख्यकों के कल्याणार्थ 15 सूत्रीय कार्यक्रम की समीक्षा बैठक मंगलवार को जिला...