સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ રોડ પર શહેરી વિસ્તારોને પાણી પુરૂ પાડતી મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી પાલિકા તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે સમસ્યા સર્જાઈ હોવાનો રોષ શહેરીજનોએ ઠાલવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના તમામ વોર્ડમાં સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ધોળીધજા ડેમ મારફતે પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર-ધોળીધજા રોડ પર શહેરી વિસ્તાર પાણી પુરૂ પાડતી પાઈપલાઈનમાં ભંગાણના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જ્યારે આ પાણી આસપાસના રહેણાંક વિસ્તારો સુધી પહોંચતા રહિશો સહિત વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અવાર-નવાર પાણી પહોંચાડતી પાઈપલાઈન તૂટી જવાના તેમજ લીકેજના બનાવો વધી રહ્યા હોવાથી પાલિકા તંત્ર દ્વારા પાઈપલાઈન નાંખવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ ઉઠયાં છે.સુરેન્દ્રનગર શહેરને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ રીઝર્વ ડેમ તરીકે જાહેર કર્યો હોવાથી બારે મહિના આ ડેમ છલોછલ પાણીથી ભરેલો હોવા છતાં શહેરી વિસ્તારમાં નિયમીત અને પુરતું પાણી મળતું ના હોવાની ફરિયાદો ઉઠે છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારો સુધી એક તરફ પીવાનું પાણી નથી મળી રહ્યું જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે અને લોકોને પાણી પુરૂ પાડતી પાઈપલાઈન નવી નાંખવામાં આવે અથવા યોગ્ય રીતે રીપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BGMI Tips: बीजीएमआई में प्लेयर्स को UC Purchase करने में हो रही है दिक्कत, जानिए क्या है इसकी वजह
BGMI में प्लेयर्स के सामने UC Purchase करने में परेशानी देखने को मिल रही है। इसे खुद इन्होंने...
শীঘ্ৰেই কৰদৈগুৰি গাঁৱৰ ২৪ পৰিয়ালক সংস্থান দিব চৰকাৰে: মন্ত্ৰী
শীঘ্ৰেই কৰদৈগুৰি গাঁৱৰ ২৪ পৰিয়ালক সংস্থান দিব চৰকাৰে: মন্ত্ৰী...
চিলাপথাৰত অসম ভিত্তিত প্ৰাইজমানি দিবা-নৈশ ভলীবল প্ৰতিযোগিতা ব্যাপক আয়োজনঃ বিকাশ শইকীয়াঃ প্ৰতিবেদক চিলাপথাৰ , ৭ আগষ্টঃ
ধেমাজি জিলাৰ চিলাপথাৰৰ খনামুখ আঞ্চলিক যুৱ সংঘৰ উদ্যোগত আৰু অসম চৰকাৰৰ ছাত্ৰ আৰু যুৱ কল্যাণৰ...
Rajya Sabha में Namaz के लिए मिलने वाले 30 मिनट के ब्रेक को खत्म किया गया, Dhankhar ने बताई वजह
Rajya Sabha में Namaz के लिए मिलने वाले 30 मिनट के ब्रेक को खत्म किया गया, Dhankhar ने बताई वजह
નકળંગ ધામમાં દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
નકળંગ ધામમાં દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું