ચોટીલા હાઇવે ખીમોઇ હોટેલ સામે રોડની બાજુમાં ભિક્ષુક જેવા વ્યક્તિ સૂતેલા હોવાનું જણાય આવ્યા હતા. ત્યારબાદ આધેડ વ્યક્તિ ઊઠવા ન પામતા આજુબાજુના દુકાનદારો દ્વારા તપાસ કરતા આધેડ મૃત્યુ પામેલા જણાયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા ઘટના સ્થળ પર પહોંચી તેને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવાયા હતા. પોલીસ દ્વારા તપાસ કરતા થોડા સમયથી આધેડ હાઈવે પર ફરતો જોવા મળ્યા હતા અને પોલીસ દ્વારા ઓળખ માટે પ્રયાસો હાથ ધરાયા હતા. તેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમબી જાડેજા અને દિલીપભાઈ ચાવડા, ઈશ્વરભાઈ રંગપરા તેમજ સ્ટાફ ચલાવી રહ્યા છે.