ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાન મંદિરના પુજારીની હત્યામાં સંડોવાયેલા બે શખ્સોની કુડાની વાડીમાંથી ઝડપી પાડયા બાદ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝને વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હત્યા નીપજાવનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની પૂછપરછ હાથ ધરતાં અન્ય આરોપીઓ સુધી પહોંચવાની પણ કડી મળી આવતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતના સ્ટાફે પુજારીની હત્યામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ ઈશ્વરભાઈ ઉર્ફે સુરેશ વિરસીંગભાઈ બામણીયા (રહે. કુડા, મુળ રહે.ધાનપુર, દાહોદ), શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર અને રાકેશભાઈ અરવિંદભાઈ પરમાર (બન્ને રહે. કુડા, મુળ રહે.દાહોદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध सावकारकी प्रकरणी दोन महीला सावकारावर सहकार विभागाची धाड
बार्शी :- अवैध सावकारकी प्रकरणी सहकार विभागाकडे आलेल्या तक्रारीची दखल घेत बार्शी शहरात...
কণ্ঠশিল্পী জুবিন গাৰ্গ অসুস্থ ।
🟥কণ্ঠশিল্পী জুবিন গাৰ্গ অসুস্থ ।
🟥জুবিন গাৰ্গে যাতে সকলো ধৰণৰ উন্নত মানৰ চিকিৎসা সেৱা লাভ...
હાલોલ નગરના વિવિધ વિસ્તારોના 12 જેટલા મકાન માલિકોએ 3.56 લાખ રૂપિયાનો ઘર વેરો ન ભરતા પાલિકા દ્વારા નળ કનેક્શનનો કાપી નખાયા.
હાલોલ નગર ખાતે નગરપાલિકા વિસ્તારની હદમાં આવતા ધોબી ફળિયા,રબારી ફળિયા,મોઘાવાડા, નગીના પાર્ક, જયંતી...
હાલોલ તાલુકાના ગોપીપુરાના પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયાએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું.#halol
હાલોલ તાલુકાના ગોપીપુરાના પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયાએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું.#halol
ગુજરાતમાં દારૂના દુષણ માટે સરકાર જ જવાબદાર છે, દારૂબંધીએ ભ્રષ્ટાચારનો ભોરીંગઃ શંકરસિંહ વાઘેલા
ગુજરાતમાં દારૂના દુષણ માટે સરકાર જ જવાબદાર છે, દારૂબંધીએ ભ્રષ્ટાચારનો ભોરીંગઃ શંકરસિંહ વાઘેલા