ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાન મંદિરના પુજારીની હત્યામાં સંડોવાયેલા બે શખ્સોની કુડાની વાડીમાંથી ઝડપી પાડયા બાદ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝને વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હત્યા નીપજાવનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની પૂછપરછ હાથ ધરતાં અન્ય આરોપીઓ સુધી પહોંચવાની પણ કડી મળી આવતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતના સ્ટાફે પુજારીની હત્યામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ ઈશ્વરભાઈ ઉર્ફે સુરેશ વિરસીંગભાઈ બામણીયા (રહે. કુડા, મુળ રહે.ધાનપુર, દાહોદ), શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર અને રાકેશભાઈ અરવિંદભાઈ પરમાર (બન્ને રહે. કુડા, મુળ રહે.દાહોદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વરસાદનો કહેર: કાંગડામાં બેના મોત, જમ્મુમાં ચેતવણી , લાહૌલમાં વાદળ ફાટ્યું
રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે બુધવારે લાહૌલ-સ્પીતિ જિલ્લાના તોજિંગ (રંગવે) અને દરેડ નાલામાં બે સ્થળોએ...
अकलूजमध्ये दारू नको दूध प्या उपक्रम
सरत्या वर्षाला निरोप देण्यासाठी माळशिरस तालुक्यातील अकलूज या ठिकाणी राष्ट्रवादी काँग्रेस व...
Telangana Elections 2023: तेलंगाना में त्रिकोणीय चुनाव, BRS-BJP-कांग्रेस के अपने दांव! | Aaj Tak
Telangana Elections 2023: तेलंगाना में त्रिकोणीय चुनाव, BRS-BJP-कांग्रेस के अपने दांव! | Aaj Tak
કોંગ્રેશ ના પીઠ નેતા શક્તિ સિંહ ગોહેલ ને હરિયાણા ના પ્રભારી બનાવાયા
કોંગ્રેસ ના પીઢ નેતા શક્તિ સિંહ ગોહેલ ને હરિયાણા નું પ્રભારી પદ સોંપવામાં આવ્યું
કોંગ્રેસ...