ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરના પુજારીની ગત સપ્ટેમ્બર મહિનામાં હત્યા કરાઈ હતી. જે અંગે જિલ્લા પોલીસવડા દ્વારા સીટની રચના કરી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે અઢી મહિના બાદ પુજારીની હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા નીપજાવનાર શખ્સો પૈકી બે શખ્સને કુડા વાડીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુ (ઉં.વ.અંદાજે ૫૦)ની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરાઈ હતી. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આથી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, ધ્રાંગધ્રા તાલુકા ઈન્ચાર્જ પીઆઈ સહિતનાઓએ સીટ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ-અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શંકાસ્પદ શખ્સોની તપાસ અને આસપાસની ૨૫થી વધુ વાડીઓમાં કામ કરતા પરપ્રાંતીય શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે કુડા વાડી વિસ્તારમાંથી મજુરીકામ કરતાં સુમલાભાઈ ઉર્ફે સુમલો મનીયા ડામોર (રહે.પાનમ, દાહોદ) અને વિપુલ અરવિંદભાઈ પરમાર (રહે.લીમડી, દાહોદ)ને ઝડપી પાડયાં હતા. તેમની પૂછપરછ હાથ ધરતા તેમણે કુડા રોડ પર આવેલા હનુમાનજી મંદિરમાં પુજારી એકલા રહેતા હતા, આથી એકલતાનો લાભ લઈ તમામ શખ્સો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા પરંતુ અચાનક પુજારી જાગી જતા બોલાચાલી બાદ પુજારીની લાકડાના ધોકા અને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નીપજાવી નાસી છુટયા હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Good News: ನಾಳೆ ಮಧ್ಯಾಹ್ನ 1 ಗಂಟೆಯಿಂದ ರಾಜ್ಯಾಧ್ಯಂತ 'ಮಹಿಳೆ'ಯರಿಗೆ 'ಸಾರಿಗೆ ಬಸ್'ಗಳಲ್ಲಿ ಫ್ರೀ ಫ್ರೀ 
 
                      ಬೆಂಗಳೂರು: ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಮಹಿಳೆಯರು ಮತ್ತು ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರಿಗೆ ʼಶಕ್ತಿʼ ಯೋಜನೆಯಡಿ ಸರ್ಕಾರಿ ಬಸ್ಗಳಲ್ಲಿ...
                  
   वैलेंटाइन डे पर इजहार नहीं बल्कि भरें IAS परीक्षा का फॉर्म, 3 वर्षों से लगातार बढ़ी है वेकेंसी 
 
                      UPSC द्वारा केंद्र सरकार की विभिन्न ग्रुप ए सेवाओं में घोषित रिक्त पदों के लिए उम्मीदवारों का चयन...
                  
   ધાનપુર તાલુકાના મોઢવા ગામે ખેતરમા કામ કરતા લોકો પર દીપડાનો હુમલો 
 
                      ધાનપુર તાલુકાના મોઢવા ગામે ખેતરમા કામ કરતા લોકો પર દીપડાનો હુમલો
                  
   ઉમરેઠ જીલ્લા તંત્ર દ્વારા ગણેશ ચતુર્થી પર્વને લઈ  માટીની મુર્તિઓ બનાવા કારીગરોને અનુરોધ  
 
                      ઉમરેઠ જીલ્લા તંત્ર દ્વારા ગણેશ ચતુર્થી પર્વને લઈ માટીની મુર્તિઓ બનાવા કારીગરોને અનુરોધ
                  
   अगर आप भी रोज ले रहे हैं 6 घंटे से कम नींद, तो हो सकते हैं Diabetes का शिकार, शोध में सामने आई चौंकाने वाली बात 
 
                      डायबिटीज एक खतरनाक बीमारी है जिसमें ब्लड शुगर लेवल बढ़ जाता है। इसे कंट्रोल न किया जाए तो यह...
                  
   
  
  
  
   
  