ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરના પુજારીની ગત સપ્ટેમ્બર મહિનામાં હત્યા કરાઈ હતી. જે અંગે જિલ્લા પોલીસવડા દ્વારા સીટની રચના કરી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે અઢી મહિના બાદ પુજારીની હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા નીપજાવનાર શખ્સો પૈકી બે શખ્સને કુડા વાડીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુ (ઉં.વ.અંદાજે ૫૦)ની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરાઈ હતી. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આથી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, ધ્રાંગધ્રા તાલુકા ઈન્ચાર્જ પીઆઈ સહિતનાઓએ સીટ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ-અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શંકાસ્પદ શખ્સોની તપાસ અને આસપાસની ૨૫થી વધુ વાડીઓમાં કામ કરતા પરપ્રાંતીય શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે કુડા વાડી વિસ્તારમાંથી મજુરીકામ કરતાં સુમલાભાઈ ઉર્ફે સુમલો મનીયા ડામોર (રહે.પાનમ, દાહોદ) અને વિપુલ અરવિંદભાઈ પરમાર (રહે.લીમડી, દાહોદ)ને ઝડપી પાડયાં હતા. તેમની પૂછપરછ હાથ ધરતા તેમણે કુડા રોડ પર આવેલા હનુમાનજી મંદિરમાં પુજારી એકલા રહેતા હતા, આથી એકલતાનો લાભ લઈ તમામ શખ્સો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા પરંતુ અચાનક પુજારી જાગી જતા બોલાચાલી બાદ પુજારીની લાકડાના ધોકા અને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નીપજાવી નાસી છુટયા હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra अपनी Thar.e के साथ Bolero और Scorpio को भी EV अवतार में कर सकती है पेश , जानें डिटेल्स
कंपनी ने ये कहा कि zero-emission वाहनों को शामिल करेगी। इसमें बोलेरो एसयूवी और स्कॉर्पियो एसयूवी...
હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલા ટાયરોના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી.
હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલા ટાયરોના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી.
চৰাইদেউ জিলা কংগ্ৰেছৰ সাধাৰণ সম্পাদক নিপেন কোঁৱৰৰ উপস্থিতিত মাহমৰাৰ ডবাত কংগ্ৰেছৰ নিৰ্বাচনী প্ৰচাৰ সম্পন্ন।
বুধবাৰে চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত ডবাত আগন্তুক লোকসভা নিৰ্বাচনৰ উদ্দেশ্য আগত ৰাখি...
સુરત શહેર પોલીસ ઝોન પાંચ દ્વારા અમરોલી વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો.
સુરત શહેર પોલીસ ઝોન પાંચ દ્વારા અમરોલી વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો.
...
અમરેલીનાં સાવરકુંડલા થી મક્કા મદીના ઉમરાહ ની મુબારક સફર પર જતાં વ્યક્તિઓ નું મુસ્લીમ અગ્રણીઓ દ્વારા સન્માન કરી વિદાઈ અપાઈ
સાવરકુંડલા ખાતે થી ઉમરાહ ની મુબારક સફરે જતા વ્યકતિ ઓ નું સન્માન કરવા માં આવ્યું ...