ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરના પુજારીની ગત સપ્ટેમ્બર મહિનામાં હત્યા કરાઈ હતી. જે અંગે જિલ્લા પોલીસવડા દ્વારા સીટની રચના કરી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે અઢી મહિના બાદ પુજારીની હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા નીપજાવનાર શખ્સો પૈકી બે શખ્સને કુડા વાડીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુ (ઉં.વ.અંદાજે ૫૦)ની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરાઈ હતી. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આથી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, ધ્રાંગધ્રા તાલુકા ઈન્ચાર્જ પીઆઈ સહિતનાઓએ સીટ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ-અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શંકાસ્પદ શખ્સોની તપાસ અને આસપાસની ૨૫થી વધુ વાડીઓમાં કામ કરતા પરપ્રાંતીય શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે કુડા વાડી વિસ્તારમાંથી મજુરીકામ કરતાં સુમલાભાઈ ઉર્ફે સુમલો મનીયા ડામોર (રહે.પાનમ, દાહોદ) અને વિપુલ અરવિંદભાઈ પરમાર (રહે.લીમડી, દાહોદ)ને ઝડપી પાડયાં હતા. તેમની પૂછપરછ હાથ ધરતા તેમણે કુડા રોડ પર આવેલા હનુમાનજી મંદિરમાં પુજારી એકલા રહેતા હતા, આથી એકલતાનો લાભ લઈ તમામ શખ્સો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા પરંતુ અચાનક પુજારી જાગી જતા બોલાચાલી બાદ પુજારીની લાકડાના ધોકા અને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નીપજાવી નાસી છુટયા હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್'ವತಿಯಿಂದ"ಭಾರತದ ಅತಿದೊಡ್ಡ ಇನ್ನರ್ವಿಯರ್ ಟ್ರೇಡ್ ಶೋ"ನಡೆಯಿತು
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ವತಿಯಿಂದ ಜುಲೈ11ರಿಂದ 13ರವರೆಗೆ "ಭಾರತದ...
EPFO Pension: उच्च पेंशन के लिए नियोक्ताओं के हिस्से से लिया जाएगा 1.16 फीसदी का अतिरिक्त योगदान
नई दिल्ली, उच्च पेंशन का विकल्प चुनने वाले ग्राहकों के मूल वेतन के 1.16 फीसदी के अतिरिक्त...
કાલોલ તાલુકાના એક ગામે 11 વર્ષની બાળકીને બે મહિલા તથા અન્યો એ બેરહેમી પૂર્વક માર મારતા અરેરાટી
કાલોલ તાલુકાના એક ગામમાં ગામમાં રહેતા જશવંતસિંહ ઉર્ફે ભૂરો કલ્યાણસિંહ ચૌહાણ દ્વારા એસ એસ જી...
અનુપમ હાઈટ મિત્ર મંડળ પર્વત પાટિયા સુરત આયોજિત ગણપતિ બાપા મૂર્તિની સ્થાપના કરવામાં આવી
અનુપમ હાઈટ મિત્ર મંડળ પર્વત પાટિયા સુરત આયોજિત ગણપતિ બાપા મૂર્તિની સ્થાપના કરવામાં આવી
Prime Minister Modi Holds Meeting to Review Cyclone Biparjoy Preparedness
Prime Minister Narendra Modi held a meeting on Monday to review the preparedness of Gujarat and...