લખતર તાલુકાના ભડવાણા ગામે રહેતા પરિવારની દોઢ વર્ષની બાળકી ઘરની બહાર શેરીમાં રમતા-રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી. જેની જાણ થતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં આસપાસની શેરીઓ, તળાવ, કુવા સહિતની શંકાસ્પદ જગ્યાઓ પર શોધખોળ કરવા છતાં મળી આવી નહોતી. જેથી આ અંગે લખતર પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે તપાસ હાથ ધરતા ઘરની બાજુમાં આવેલા પાડોશીના ડેલામાં આવેલા મકાનની ખુલ્લી ટાંકીમાં બાળકીનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.ભડવાણા ગામે રહેતા છનાભાઈ સદાદિયાના પુત્ર પરાગભાઈની સૌથી નાની દોઢ વર્ષની દિકરી બંસી ઘરની બહાર શેરીમાં રમી રહી હતી અને અચાનક રમતા-રમતા બાળકી નજરે ના પડતાં માતા-પિતા સહિત પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી.જેમાં આસપાસની શેરીઓ, મકાનો, તળાવ, કુવા સહિત અવારૂ જગ્યાએ પણ તપાસ કરી હતી પરંતુ કોઈ જ પત્તો ન લાગતા છેવટે આ અંગે લખતર પોલીસ મથકે બાળકી ગુમ થયા અંગેની લેખિત અરજી કરવામાં આવી હતી. જેથી પોલીસ ડોગ સ્કવોડ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ઘરની બાજુમાં આવેલા મેલાભાઈ ભરવાડની માલિકીના ડેલામાં રહેતા ભાડૂઆત હિરાભાઈ નારૂભાઈના ઘરમાં આવેલી ખુલ્લી પાણીની ટાંકીમાં બાળકીનો મૃતદેહ તરતી હાલતમાં જોવા મળ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં રમતાં-રમતાં બાળકી અચાનક પાણીની ટાંકીમાં ખાબકી હોવાથી તેનું મોત નીપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે દોઢ વર્ષની માસુમ બાળકીનું અકાળે મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. લખતર પોલીસે બાળકીના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. બાળકીનું મોત ડુબી જવાથી થયું છે કે પછી અન્ય કારણોસર મોત નીપજ્યું છે તે પીએમ રીપોર્ટ બાદ જ માલુમ પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદમાં અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માને હજારોની જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
દાહોદમાં અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માને હજારોની જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
बोरीत महालक्ष्मी सजावट स्पर्धेचे बक्षिस वितरण
प्रेक्षाताई भांबळे यांची गड प्रमुख उपस्थिती
बोरी(प्रतिनिधी)
येथे आयोजित केलेल्या महालक्ष्मी सजावट स्पर्धा २०२२ चे बक्षीस वितरण मंगळवारी...
રંગોળી અને ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું....
રંગોળી અને ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું....
सपा सांसद राम गोपाल यादव ने CJI को अपशब्द कहे:कहा- अभी भी उन्हें मंदिर और बाबरी मस्जिद दिख रहा है
समाजवादी पार्टी के महासचिव राम गोपाल यादव ने भारत के मुख्य न्यायाधीश (CJI) डीवाई चंद्रचूड़ के लिए...
3 अक्टूबर 2022 की ट्रेन संख्या 22954 अहमदाबाद-मुंबई सेंट्रल गुजरात सुपरफास्ट एक्सप्रेस मणिनगर से ओरिजनेट होगी
पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन पर प्लेटफार्म मरम्मत/रखरखाव कार्य के कारण अहमदाबाद-मुंबई सेंट्रल...