સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जनप्रतिनिधियों के उठाए मुद्दों पर हो त्वरित कार्यवाही - जिला प्रमुख
जनप्रतिनिधियों के उठाए मुद्दों पर हो त्वरित कार्यवाही - जिला प्रमुख-जिला परिषद की साधारण सभा की...
অসমত পুনৰ কা আন্দোলনৰ উকমুকনি
আজিৰে পৰা উত্তৰ–পূব ছাত্ৰ সন্থাকে ধৰি আছুৱে সমগ্ৰ উত্তৰ–পূৰ্বতে নাগৰিকত্ব (সংশোধনী)...
કામધેનુ યુનિવર્સિટી રાજપુર દ્વારા પશુ ચિકિત્સક કેમ્પ યોજાયો
કામધેનુ યુનિવર્સિટી, રાજપુર દ્રારા જામળા મુકામે પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો ...
સલાયા ગામે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં અમરનાથ દર્શનનું આયોજન કરાયું
સલાયા ગામે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં આજ રોજ અમરનાથ દર્શનનું આયોજન કરાયું