દિયોદર તાલુકાના વડીયા ગામે ખેડૂત મંગળવારે સાંજે પોતાના ખેતરમાં આવેલ બોરવેલના લગાવેલા બોર્ડમાં ફ્યુઝ બદલવા જતા આકસ્મિક રીતે વીજ કરંટ લાગતાં ખેડૂતનું મોત નિપજ્યું હતું.

દિયોદર તાલુકાના વડીયા ગામે મંગળવારે સાંજના સમયે ખેતરમાં કામ કરતા બાબુજી કસ્તુરજી માળી પોતાના ખેતરમાં આવેલ બોરવેલના લગાવેલા બોર્ડમાં ફ્યુઝ બદલવા જતા આકસ્મિક રીતે કરંટ લાગ્યો હતો.

જેમને સારવાર અર્થે ખસેડાતા રસ્તામાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના દીકરા શાંતિભાઈ બાબુભાઈ માળીએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે લાશને દિયોદર રેફરલ હોસ્પિટલમાં પી.એમ. કરાવી લાશ વાલીવારસને સોંપી હતી.