પ્રવાસની ખોટી સ્કીમ આપી છેંતરપીડી કરતો લાલશાહીનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી કમલાબાગ પોલીસ 

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. રૂતુ રાબા સાહેબ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.પી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ લાલશાહીના નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ કે.એ.સાવલીયા સાહેબએ ટેકનિકલ સોર્સીસ થી ચોક્કસ હકીકત આધારે કમલાબાગ પો.સ્ટે.ના આઇ.પી.સી કલમ-૪૦૬,૪૨૦,૧૨૦બી. વિ.મુજબનો લાલશાહીનો નાસતો ફરતો આરોપી-ભાવીક બાબુભાઇ ઉફે બાલુભાઇ મીયાત્રા ઉવ.૨૯ રહે. બી.૪૦૩ ચોથા માળે નીલકંઠ રેસીડેન્સી ક્રોસ અમરોલી સુરતવાળાને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમા કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર વી.પી.પરમાર તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. કે.એ.સાવલીયા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. વી.ડી.વાધેલા પો.હેડ કોન્સ બી.કે,ગોહીલ.તથા પો.કોન્સ, લખુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.