લીંબડી રેલવે સ્ટેશન સામે આવેલા શિવ-શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના રૂમનો નકૂચો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. સાયલા તાલુકાના લોયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને લીંબડી રેલવે સ્ટેશન સામે શિવ-શક્તિ નગરમાં રહેતા ગોવિંદભાઈ દાનાભાઈ દુલેરા પરિવાર સાથે માદરે વતન ચુડા તાલુકાના મોજીદડ ગામે ગયા હતા. બીજા દિવસે ઘેર પરત ફરી જોયું તો તેમના મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. રૂમ ખુલ્લો હતો. તિજોરીમાં રાખેલો સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. બનાવ અંગે તેમણે લીંબડી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને હોમગાર્ડની નબળી કામગીરીને કારણે લીંબડીમાં વધી રહેલા ચોરીના બનાવોને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ અને હોમગાર્ડ ટીમ પેટ્રોલિંગ કામગીરી વધારી ચોર ટોળકીને ઝડપી પાડે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰা ৰাজহ চক্ৰ কাৰ্য্যালয়ৰ উদ্যোগত মৰাণহাটত গণতন্ত্ৰ দিৱসৰ কাৰ্য্যসূচীত পতাকা উত্তোলন কৰে ৰাজহ চক্ৰ বিষয়া ভাৰতী বৰাই।
চৰাইদেউ জিলাৰ মাহমৰা ৰাজহ চক্ৰ কাৰ্য্যালয়ৰউদ্যোগত আজি মৰাণ নগৰ সমিতিৰ শিশু উদ্যান চৌহদত ৰাজহুৱা...
जनता ने किया विरोध प्रदर्शन दिया ज्ञापन
जल भराव से परेशान जनता ने किया विरोध प्रदर्शन दिया ज्ञापन
नैनवा जनता ने बस्तियों में...
સુરત શહેરમાં રમતઉત્સવ ને પ્રોત્સાહન આપવાં માટે રમત ઉત્સવનો સમાપન સમારોહ યોજાશેગુજરાતનાં 6 શહેરોમાં
સુરત શહેરમાં રમતઉત્સવ ને પ્રોત્સાહન આપવાં માટે રમત ઉત્સવનો સમાપન સમારોહ યોજાશેગુજરાતનાં 6 શહેરોમાં
Vidhan Sabha LIVE : एकनाथ शिंदे सभागृहात धमक्या देत आहेत का? |Dhananjay Munde | Uddhav Thackeray
Vidhan Sabha LIVE : एकनाथ शिंदे सभागृहात धमक्या देत आहेत का? |Dhananjay Munde | Uddhav Thackeray
આજરોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત LDC (લુઇસ ડ્રાઈફસ કંપની) ગુડગાવ ના આર્થિક સહયોગ થી બોટાદ અને અમરેલી જિલ્લાના નાવડા અને કલોરાણા ગામમાં "જાગૃતિ" નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમ માં અતિથિ તરીકે તાલુકા બાગાયત અધિકારી આર. એમ.પટેલીયા સાહેબ, આત્માના બરવાળા તાલુકાના...