લીંબડી રેલવે સ્ટેશન સામે આવેલા શિવ-શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના રૂમનો નકૂચો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. સાયલા તાલુકાના લોયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને લીંબડી રેલવે સ્ટેશન સામે શિવ-શક્તિ નગરમાં રહેતા ગોવિંદભાઈ દાનાભાઈ દુલેરા પરિવાર સાથે માદરે વતન ચુડા તાલુકાના મોજીદડ ગામે ગયા હતા. બીજા દિવસે ઘેર પરત ફરી જોયું તો તેમના મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. રૂમ ખુલ્લો હતો. તિજોરીમાં રાખેલો સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. બનાવ અંગે તેમણે લીંબડી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને હોમગાર્ડની નબળી કામગીરીને કારણે લીંબડીમાં વધી રહેલા ચોરીના બનાવોને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ અને હોમગાર્ડ ટીમ પેટ્રોલિંગ કામગીરી વધારી ચોર ટોળકીને ઝડપી પાડે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar NDA Seat Sharing News: बिहार NDA में सीट शेयरिंग पर चिराग की नाराजगी दूर? | Aaj Tak
Bihar NDA Seat Sharing News: बिहार NDA में सीट शेयरिंग पर चिराग की नाराजगी दूर? | Aaj Tak
Geniben ના ગઢમાં સ્વરૂપજી ઠાકોરએ પાડ્યું ગાબડું, 20 રાઉન્ડ સુધી આગળ ચાલતા ગુલાબસિંહની થઈ હાર
Geniben ના ગઢમાં સ્વરૂપજી ઠાકોરએ પાડ્યું ગાબડું, 20 રાઉન્ડ સુધી આગળ ચાલતા ગુલાબસિંહની થઈ હાર
વલભીપુર શહેરના પાટીવાડા વિસ્તારના વાઘા સ્વામી ની જગ્યા માં આજે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો
વલભીપુર શહેરના પાટીવાડા વિસ્તારના વાઘા સ્વામી ની જગ્યા માં આજે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો
વન વિભાગ દ્વારા વન્યજીવોને ગોંધી રાખેલા અલગ અલગ વિસ્તારમાંથી મુક્ત કરાવ્યા
વન વિભાગ દ્વારા વન્યજીવોને ગોંધી રાખેલા અલગ અલગ વિસ્તારમાંથી મુક્ત કરાવ્યા
પિંડારા ગામે મેળા માં આજે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પિંડારા ગામે મેળા માં આજે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.