ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે બસ સ્ટેન્ડ પાસે અગાઉના પ્રેમસંબંધ બાબતે યુવકને લાકડી અને પાઈપ જેવા હથિયાર વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ તલવાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ચાર શખ્સો સામે નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.ઢોકળવા ગામે રહેતા રોહિતભાઈ વિનુભાઈ બાવળિયાના કાકાની દિકરીના લગ્ન પ્રસંગનું ફુલેકુ હોવાથી ગામનાં બસ સ્ટેન્ડ પાસે આવેલા બાપા સીતારામના ઓટલે બહેનને પગે લગાડવા રોહિતભાઈ સહિત પરિવારજનો ગયા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા ચાર શખ્સો જીવરાજભાઈ રતાભાઈ ઝાપડીયા, ભોળાભાઈ ધુધાભાઈ ઝાપડીયા, મનસુખભાઈ રતાભાઈ ઝાપડીયા અને પ્રવિણભાઈ ચોથાભાઈ ઝાપડીયાએ અંદાજે બે વર્ષ પહેલા જીવરાજભાઈની દિકરી સાથે પ્રેમસંબંધ હોવાની શંકાના આધારે પાઈપ, લાકડી, તલવાર જેવા હથિયારો સાથે આવી બોલાચાલી કરી હતી અને પાઈપ વડે રોહિતભાઈના પગ સહિતના ભાગે ઘા ઝીંક્યા હતા.તેમજ સાથે રહેલા હિતેષભાઈને પણ પાઈપવડે માર માર્યો હતો. ઉપરાંત તલવાર બતાવી જાનથી મારી નંખવાની ધમકી આપી હતી. તે અંગે નાની મોલડી પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીરપુરમાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું 20 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ માં જોડાયા
વીરપુરમાં પરસોતમ રૂપાલા ના હસ્તે 20 થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસની વિદાય આપી ભાજપમાં...
દીપડા ને કચડનાર ની વન વિભાગે શોધખોળ હાથ ધરી #Crime #Gir #Kodinar #Somnath
દીપડા ને કચડનાર ની વન વિભાગે શોધખોળ હાથ ધરી #Crime #Gir #Kodinar #Somnath
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
સ્વામિનારાયણ મંદિર ખાતે 18મા પાટોત્સવની ઉજવણી ભાગ સ્વરૂપે પોથીયાત્રા યોજાઈ
સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 18 મા પાટોત્સવની ઉજવણી ના...
કલોલ સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલ શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ...