ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે બસ સ્ટેન્ડ પાસે અગાઉના પ્રેમસંબંધ બાબતે યુવકને લાકડી અને પાઈપ જેવા હથિયાર વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ તલવાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ચાર શખ્સો સામે નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.ઢોકળવા ગામે રહેતા રોહિતભાઈ વિનુભાઈ બાવળિયાના કાકાની દિકરીના લગ્ન પ્રસંગનું ફુલેકુ હોવાથી ગામનાં બસ સ્ટેન્ડ પાસે આવેલા બાપા સીતારામના ઓટલે બહેનને પગે લગાડવા રોહિતભાઈ સહિત પરિવારજનો ગયા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા ચાર શખ્સો જીવરાજભાઈ રતાભાઈ ઝાપડીયા, ભોળાભાઈ ધુધાભાઈ ઝાપડીયા, મનસુખભાઈ રતાભાઈ ઝાપડીયા અને પ્રવિણભાઈ ચોથાભાઈ ઝાપડીયાએ અંદાજે બે વર્ષ પહેલા જીવરાજભાઈની દિકરી સાથે પ્રેમસંબંધ હોવાની શંકાના આધારે પાઈપ, લાકડી, તલવાર જેવા હથિયારો સાથે આવી બોલાચાલી કરી હતી અને પાઈપ વડે રોહિતભાઈના પગ સહિતના ભાગે ઘા ઝીંક્યા હતા.તેમજ સાથે રહેલા હિતેષભાઈને પણ પાઈપવડે માર માર્યો હતો. ઉપરાંત તલવાર બતાવી જાનથી મારી નંખવાની ધમકી આપી હતી. તે અંગે નાની મોલડી પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bajaj की पहली CNG Bike इस दिन होगी लॉन्च, कंपनी ने शेयर की महत्वपूर्ण जानकारी
Bajaj Auto की ओर से दुनिया की पहली CNG Bike लॉन्च की जाएगी। नई बजाज सीएनजी मोटरसाइकिल को कई मौकों...
LEO club of Golden Jubilee Girls ৰ উদ্যোগত Tarang'22
LEO club of Golden Jubilee Girls ৰ উদ্যোগত দেওবাৰে তিনিচুকীয়াৰ মান্ধানীয়া ভৱনত আয়োজন কৰে...
જામનગર શહેરમાં રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૩૬ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫૯,૪૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર - LCB પોલીસ
જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના...
মৰিগাঁও সাৰ্বজনীন শ্ৰীশ্ৰী দুৰ্গা পূজাৰ সাংস্কৃতিক শোভাযাত্ৰা
মৰিগাঁও সাৰ্বজনীন শ্ৰীশ্ৰীদুৰ্গা পূজা উদযাপন সমিতিয়ে সোনালী জয়ন্তী বৰ্ষ উপলক্ষে মহা নৱমীত উলিয়াই...
જસદણ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટી મંડળની નિયુક્તિમાં કોળી સમાજ તેમજ અન્ય સમાજ ને સમાવેશ ન કરતા ઘરણાં કરાયા
જસદણ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટી મંડળની નિયુક્તિનો માં કોળી સમાજ તેમજ અન્ય સમાજ ને સમાવેશ ન કરતા...