આજ તા.10/12/2923ના રોજ શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ખાંભા તાલુકાના તાલડા ગામે શ્રી નીલકંઠ વિધાલય ખાતે માહિતી શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતમાં શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટી મંડળ દ્વારા એક નવી પહેલ કરી લોકોમાં બિન રાજકીય રીતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેનો મુખ્ય હેતુ સમાજના લોકોને પુરતા પ્રમાણમાં માહિતી ન હોવાથી કેટલીક યોજનાનો લાભોથી વંચિત રહેતા લોકોમાં જાગૃત લાવવી તેમજ અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ, શિક્ષણ ,વિશે લોકોને જાગૃત કરવા અને વિવિધ યોજનાઓનો સમાજના લોકો લાભ બહોળી સંખ્યામાં લઈ શકે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખડાધાર ગામના યુવા આગેવાન ગુણવંતભાઈ જાદવ દ્વારા ટ્રસ્ટ વિશે માહિતી આપી ટ્રસ્ટનો પરિચય અને ટ્રસ્ટીઓનો પરિચય આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કારકિર્દી માર્ગદર્શન અને રોજગારી સંબધિત વિશેષ માહિતી અને બિન જરૂરી મોબાઈલ ઉપયોગ કરતા ખાસ કરીને નાના બાળકોને મોબાઇલ થી દુર રાખવા બાબતે માહિતી શ્રી કિશોરભાઈ ખસિયા દ્વારા આપવામાં આવી હતી.સરકાર શ્રીની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી શ્રી જગદીશભાઈ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં ટ્રસ્ટી મંડળ ના પ્રમુખશ્રી હસમુખભાઈ શિયાળ,મંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણ,ટ્રસ્ટી શ્રી કિશોરભાઇ ખસીયા, તેમજ ટ્રસ્ટી શ્રી ભોળાભાઈ મકવાણા બોરાળા,ગુણવંતભાઈ જાદવ ખડાધાર , અશ્વિનભાઈ મકવાણા નવા માલકનેશ ,હરેશભાઈ વાઘેલા, તેમજ સમાજના આગેવાનો શ્રી બેચરભાઈ મકવાણા , રણછોડભાઈ મકવાણા બોરાળા, એલ.બી. ખસીયા,હિંમતભાઈ ખસીયા જામકા તેમજ તાલડા ગામના કોળી સમાજના યુવા અને ઉત્સાહી શિક્ષક પ્રવીણભાઈ જાદવ,શ્રી બાંભણિયા સાહેબ,હિંમતભાઈ જાદવ,મધુભાઈ ડોડીયા,જેન્તીભાઇ બારૈયા વગેરે કોળી સમાજના યુવા આગેવાનો તેમજ નિલકંઠ વિદ્યાલય ના વિદ્યાર્થી મિત્રો તેમજ ગામના વડીલો,મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.