દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જાહેર જનતાના કલ્યાણ અર્થે બનાવેલ તમામ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આયોજન કરી રથનું પરિભ્રમણ કરાવી ગામે ગામ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જે અંતર્ગત આજરોજ હાલોલ તાલુકાના સાથરોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમના આરંભમાં સૌપ્રથમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ સાથરોટા ગામના લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું સ્થળ પરથી વિતરણ કરાયું હતું આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ,હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, હાલોલ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, હાલોલ તાલુકા વિસ્તરણ અધિકારી સુખરામભાઈ તડવી તેમજ સાથરોટા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જશવંતસિંહ ડામોર સહિત. સરપંચ,ઉપસરપંચ,સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.