ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન 2023 અંતર્ગત વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમમાં યોજી રાજ્યભરના તમામ એસટી સ્ટેન્ડ સહિત એસટી બસોને સ્વચ્છ રાખી સાફ-સફાઈ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત હાલોલ એસટી સ્ટેન્ડ ખાતે પણ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન 2023 અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એસટી સ્ટેન્ડ ખાતે હાલોલ શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર સંજય પટેલ મહામંત્રી રવિન્દ્રસિંહ ઠાકોર સહિત અન્ય મહાનુભાવો તેમજ હાલોલ એસટી વિભાગ કર્મચારીઓએ હાથમાં સાવરણી લઈ સ્વચ્છતા અભિયાનનો આરંભ કરી સાફ-સફાઈ કરી હતી અને એસટી સ્ટેન્ડમાં આવતા તેમજ એસટી બસોમાં મુસાફરી કરતાં મુસાફરોને સાફ-સફાઈ રાખવા અને સ્વચ્છતા જાળવવા માટેની અપીલ કરી હતી.