મૂળી તાલુકામાં લોનના બાકી હપ્તાની રીકવરીનું કામ કરતા બે યુવાનોને રાયસંગપરના બોર્ડ પાસે બોલાવી ત્રણ શખ્સોએ તમારી ચકલી બહુ ફૂલેકે ચડી છે, તેમ કહી ધોકા વડે માર મારી, કારના કાચ ફોડી નાંખ્યા હતા. બનાવની મુળી પોલીસ મથકે રાયસંગપરના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.કુકડા ગામે રહેતા કુલદીપસીંહ જયેન્દ્રસીંહ પરમાર અને ટીકરના ઋષીરાજસીંહ અશોકસીંહ પરમાર તાવીના યોગીરાજસીંહ રાણાની શિવ એજન્સીમાં રીકવરીનું કામ કરે છે. જેમાં ICICI, કોટક, HDFC સહિત 10 બેંક દ્વારા લોન પર અપાયેલ વાહનના હપ્તાની રીકવરી કરાય છે. દાધોળીયા ગામના રણછોડભાઈ જીવણભાઈ ઝેઝરીયાના બાઈકના 2 હપ્તા બાકી હોય તેઓએ તા. 30મી નવેમ્બરે ફોન કર્યો હતો. જેમાં તેઓએ પુત્ર લાલા સાથે વાત કરવાનું કહેતા બન્નેએ લાલાભાઈને ફોન કર્યો હતો. જેમાં તેણે હપ્તા ભરવાની પણ હા પાડી હતી. થોડીવાર પછી તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને દાધોળીયાના લાલા પાસેથી જે પૈસા લેવાના છે. તે હું આપી દઉ, રાયસંગપરના બોર્ડ પાસે આવો તેમ કહેતા કુલદીપસીંહ અને ઋષીરાજસીંહ ત્યાં પહોંચ્યા હતા.જેમાં રાયસંગપરના રામદેવસીંહ ગજુભા ઝાલા, ઋષીરાજસીંહ ગજુભા ઝાલા અને પૃથ્વીરાજસીંહ ઝાલાએ ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ઋષીરાજસીંહની અલ્ટો કારના આગળ-પાછળ અને સાઈડના કાચ તોડી નાંખી રૂપીયા 5 હજારનું નુકશાન કર્યુ હતુ. આ બનાવમાં બન્ને કર્મીઓને સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા. બનાવની મૂળી પોલીસ મથકે રાયસંગપરના ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.જી.ઝાલા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JAMJODHPUR જામજોધપુર પંથકમાં ચૂંટણી અધિકારીના મનસ્વી વર્તનને લઈને રોષ 21 11 2022
JAMJODHPUR જામજોધપુર પંથકમાં ચૂંટણી અધિકારીના મનસ્વી વર્તનને લઈને રોષ 21 11 2022
महाराष्ट्र चुनाव पर कांग्रेस CEC की बैठक रद्द:आज मीटिंग के बाद पहली लिस्ट आ सकती थी
महाराष्ट्र कांग्रेस आज (20 अक्तूबर) को होने वाली केंद्रीय चुनाव समिति (CEC) की बैठक रद्द हो गई...
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી હિંમતનગર તાલુકાનો ચારે દિશાએ સર્વાંગી વિકાસ થયો છે. અંબાજી, શામળાજી, મોઢેરા પવિત્ર યાત્રાધામોને જોડતા રસ્તાઓ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૧ કામો રૂપિયા ૨૫૦ કરોડના ખર્ચે પૂર્ણ થયા છે.
- ધારાસભ્યશ્રી રાજેન્દ્ર
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં આજે હિંમતનગર...
चलती ट्रेन से महिला का पर्स व 3 मोबाइल चोरी करने के मुख्य आरोपी को जीआरपी ने किया गिरफ्तार कोटा
कोटा व बुंदी के मध्य चलती ट्रेन से महिला का पर्स व 3 मोबाइल चोरी करने के मुख्य आरोपी को जीआरपी ने...