ડીસા તાલુકાના કુચાવાડા ગામના પ્રકાશ બાબુભાઈ પરમાર (ઉ.વ. 20) દાંતીવાડા તાલુકાના આરખી ગામમાં આરસીસી સેંટિંગ કામ કરતા હતા. ત્યારે અચાનક આકાશી વીજળી પડતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતુ. જ્યારે કમોસમી વરસાદ અને પવનથી પપૈયાની ખેતી કરનારા ખેડૂતોને વ્યાપક નૂકશાન થયું હતુ.

 વાઘરોળમાં પપૈયાના વાવેતર કરનારા ખેડૂત નીતિનભાઈ પટેલે જણાવ્યું હતુ કે, તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે. વરસાદ અને પવનના કારણે પપૈયાના છોડ નો સોથ વળી જતાં મોટાભાગના પપૈયાના છોડ જમીન દોસ્ત થવા પામ્યા છે.