સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 18 મા પાટોત્સવની ઉજવણી ના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર શહેરમાં હરિભક્તો દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આજ સુરેન્દ્રનગર શહેરના વિવિધ માર્ગો ઉપર સ્વામીનારાયણ મંદિરના સંતો મહંતો અને તેના હરિભક્તોની ઉપસ્થિતિમાં પોથી યાત્રા યોજાઈ હતી અને ભારે ધામધૂમ પૂર્વક પોથી યાત્રાને સુરેન્દ્રનગર શહેરના જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી ત્યારે સંગીતની સુરાવલી સાથે પોથી યાત્રા અને વિવિધ માર્ગો ઉપર હરિભક્તો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા ત્યારે અનેક સંતો મહંતો પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે મૂળી સ્વામિનારાયણ મંદિર ખાતેથી કૃષ્ણ વલ્લભદાસજી તેમજ અન્ય સ્વામીજીઓ પણ પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે પોથી યાત્રામાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને મોટી માત્રામાં ભાવિકો અને હરિભક્તો તેમજ નારાયણ ગ્રુપના અનેક સેવાભાવી યુવકો જોડાયા હતા ત્યારે મંદિરના સેવક શૈલેન્દ્રસિંહ ઝાલા તેમજ અરવિંદ મામા અને અન્ય લોકો પણ પોથીયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.