ગુજરાત સરકાર અને ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવા માટે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત નાણાકીય લોન તેમજ સબસિડી આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે લોન અપાય છે. જેનો મુખ્ય ઉદ્દેશ કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપી ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન, યુવતીઓ, દિવ્યાંગોને, સ્વરોજગારી પુરી પાડવાનો છે. આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષનો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. લાભ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ ૪ પાસ અથવા કોઈપણ તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. આ યોજના અંતર્ગત કારીગરો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે. અરજદારો નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજ દરે રૂપિયા ૮.૦૦/- લાખ સુધીની લોન મેળવી શકાય છે. જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહત્તમ રૂ ૧.૨૫ લાખ સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવોનો દાખલો, કોટેશન (ભાવપત્રક) ધંધાનાં સ્થળનો આધાર/વેરા પહોંચ જેવા ડોક્યુમેન્ટ સાથે blp.gujarat.gov.in પોર્ટૅલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવાનો રહેશે.એમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हर व्यक्ति के जीवन में गुरू की भूमिका सबसे महत्तवपूर्ण: राधिका चुग ll इंस्टीट्यूट ऑफ स्किल डेवलपमेंट की डॉयरेक्टर राधिक चुग ने गुरू पूर्णिमा पर दिया अपने छात्रों को संदेश
आज इंस्टीट्यूट ऑफ स्किल डेवलपमेंट अमृतसर की डॉयरेक्टर श्रीमति राधिका चुग ने गुरू पूर्णिमा के शुभ...
চন্দ্ৰৰ পৰা মাত্ৰ ১৪০০ কিলোমিটাৰ দূৰত্বত চন্দ্ৰযান-৩ মহাকাশযান
ভাৰতীয় মহাকাশ গৱেষণা সংস্থাই বুধবাৰে জনাইছে যে চন্দ্ৰযান-৩ মহাকাশযানখনে আন এক কক্ষপথ হ্ৰাসৰ...
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
બનાસકાંઠા હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અમીરગઢ...
મહુવા તાલુકાના ગુંદરણી ગામે દીપડો કૂવામાં ખાબકતા વન વિભાગ દ્વારા રેસ્કયુ કરાયો.
મહુવા તાલુકાના ગુંદરણી ગામે દીપડો કૂવામાં ખાબકતા વન વિભાગ દ્વારા રેસ્કયુ કરાયો.
નવરાત્રી ના દિવસો નજીક છે ત્યારે પત્રકાર મિત્રોએ ભવાની માતાના મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવી
નવરાત્રી ના દિવસો નજીક છે ત્યારે પત્રકાર મિત્રોએ ભવાની માતાના મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવી