ગુજરાત સરકાર અને ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવા માટે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત નાણાકીય લોન તેમજ સબસિડી આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે લોન અપાય છે. જેનો મુખ્ય ઉદ્દેશ કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપી ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન, યુવતીઓ, દિવ્યાંગોને, સ્વરોજગારી પુરી પાડવાનો છે. આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષનો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. લાભ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ ૪ પાસ અથવા કોઈપણ તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. આ યોજના અંતર્ગત કારીગરો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે. અરજદારો નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજ દરે રૂપિયા ૮.૦૦/- લાખ સુધીની લોન મેળવી શકાય છે. જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહત્તમ રૂ ૧.૨૫ લાખ સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવોનો દાખલો, કોટેશન (ભાવપત્રક) ધંધાનાં સ્થળનો આધાર/વેરા પહોંચ જેવા ડોક્યુમેન્ટ સાથે blp.gujarat.gov.in પોર્ટૅલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવાનો રહેશે.એમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भव्य नोकरी मेळाव्यास मतदारसंघातील होतकरू युवतींने नाव नोंदणी करावी - सोनाली येवले
पाटोदा (प्रतिनिधी) आष्टी पाटोदा शिरूर मतदारसंघाचेवि कासभू आमदार बाळासाहेब आजबे यांच्या वाढदिवसा...
સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો મામલે મળશે બેઠક:ભારતીય સતં સંઘ લીંબડી ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવશે
સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને...
વારાહી : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિતરણ | SatyaNirbhay News Channel
વારાહી : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિતરણ | SatyaNirbhay News Channel
जयपुर एयरपोर्ट पर एयरलाइंस की महिला कर्मचारी ने CISF के CI को जड़ा थप्पड़, पुलिस ने हिरासत में लिया
जयपुर इंटरनेशनल एयरपोर्ट पर सुरक्षा में तैनात सीआईएसएफ के सीआई को एयरलाइंस की एक महिला कर्मचारी...
Covid 19: देश में तेजी से बढ़ रहे कोरोना संक्रमण के मामले, पिछले 24 घंटों में 3 लोगों की मौत; 313 नए केस आए सामने
नई दिल्ली। भारत में कोरोना के मामलों में तेजी से बढ़ोतरी दर्ज की जा रही है। स्वास्थ्य...