ધ્રાંગધ્રામાં સિનેમા પાસે આવેલી મોબાઈલની દુકાનમાં બે શખ્સો દ્વારા ધોકા વડે માર મારી રોકડ રકમની લુંટ કરી હોવાની સિટી પોલીસ મથકે સામસામે છ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ધ્રાંગધ્રામાં રહેતા અને નવયુગ સિનેમા પાસે મોબાઈલની દુકાન ધરાવતા દિલીપ લલીતભાઈ વાણિયા અને મિત્રો ઉત્તમભાઈ પરમાર, કુલદિપભાઈ ચૌહાણ મોબાઈલની દુકાન બહાર બેઠા હતા. તે દરમિયાન ધ્રાંગધ્રાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા વિનોદ ઉર્ફે ઓન્ચો લાખાભાઈ પરમાર અને રણજીતભાઈ ખુશાલભાઈ પરમારે બાઈક પર આવી સામે કેમ જુઓ છો ? માર ખાવો લાગે છે, તેમ જણાવી અપશબ્દો બોલી સાથે લાવેલી છરી કાઢી નાક પર મારી હતી.તેમજ લાકડાના ધોકા વડે માર મારી ખીસ્સામાં રહેલા રોકડ રૂા.2,500 લુંટી લીધા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાઈક પર નાસી છુટયા હતાં. દિલીપને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે સામાપક્ષે વિનોદભાઈ પરમાર દ્વારા ચાર શખ્સો સામે છરી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ રોકડ રૂા.5,000ની લુંટ અંગે દિલીપભાઈ વાણિયા, લલીતભાઈ વાણિયા, મનોજભાઈ વાણિયા, કેશાભાઈ વાણિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રિમ્પ ફાર્મિંગ – ભારતમાં નફાકારક એક્વાકલ્ચર બિઝનેસ
ખેતી ક્ષેત્ર વ્યાપક છે, આપણી કલ્પના બહાર પણ છે. આ એટલા માટે છે કારણ કે તેમાં ઘણા બધા ઉદ્યોગો છે...
Earthquake News : Nepal में भूकंप से तबाही, कई मकान गिरे नींद में मौत | Earthquake In Nepal Today
Earthquake News : Nepal में भूकंप से तबाही, कई मकान गिरे नींद में मौत | Earthquake In Nepal Today
সোণাৰিৰ কৃত্ৰিম বান সমস্যা সমাধানৰ দাবী আছুৰ
সোণাৰি নগৰত এজাক বৰষুণতে কৃত্ৰিম বান পৰিস্থিতি সৃষ্টি হোৱা সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ কৰিছে...
MCN NEWS| पोलिसांसाठी 'डीपीडीसी' मधुन निधी देणार रोहयो मंत्री संदिपान भुमरे यांची ग्वाही
MCN NEWS| पोलिसांसाठी 'डीपीडीसी' मधुन निधी देणार रोहयो मंत्री संदिपान भुमरे यांची ग्वाही
આઝાદી ની પુર્વસંધ્યાએ દામાણી હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
આઝાદી ની પુર્વસંધ્યાએ દામાણી હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો