માનવીય અભિગમ સાથે દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે નવીન નિમણુંક માટેના તલાટી કમ મંત્રીશ્રીઓ અને જુનિયર ક્લાર્કના ઉમેદવારોને સ્થળ પસંદગી અપાઈ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)

આગામી તા.6/11/2023 ને સોમવારના રોજ માન.મુખ્ય મંત્રીશ્રી,ગુજરાત રાજ્યના વરદ હસ્તે મહાત્મા મંદિર ખાતે નવીન તલાટી કમ મંત્રી/જુ.ક્લાર્કશ્રીઓના નિમણુંક પત્રોના વિતરણ અંગે કાર્યક્રમ યોજાનાર છે ત્યારે જિલ્લા પંચાયત કચેરી,દાહોદ ખાતે તલાટી કમ મંત્રી / જુ.ક્લાર્ક માટે એમના ફરજની જગ્યાની પસંદગી માટે તા.04/11/2023 ના રોજ કેમ્પ રાખવામાં આવેલ. જેમાં મેરીટ આધારીત પસંદગી આપવામાં આવી.જેમાં માનવીય દર્ષ્ટિએ ને ધ્યાનમાં લઈ ફિઝિકલ ડીસીબીલીટી ઉમેદવારોને મેરીટ મુજબ પહેલી પસંદગીની તક આપવામાં આવેલ હતી.જેનો લાભ તલાટી કમ મંત્રીશ્રીમાં ૭ અને જુનિયર ક્લાર્કમાં ૩ એમ કુલ ૧૦ ઉમેદવારોને મળ્યો.આમ આજ રોજ ત.ક.મંત્રીના કુલ ૩૭ તથા જુ.ક્લાર્કના 15 ઉમેદવારોને એમના પ્રેફરન્સ મુજબની સ્થળ પસંદગી આપવામાં આવેલ છે.