સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગમાં ચાલતા એમ્બ્રોડરી ખાતામાંથી કારીગરો નીકળી જતા બચી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાનો કાફલો દોડી આવ્યો હતો. પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ ધરાશાયી થતાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને નજરે જોનાર સકીચંદ સહાનીએ જણાવ્યું હતું કે, પહેલા બિલ્ડિંગમાંથી થોડો થોડો ભાગ પડી રહ્યો હતો. બાદમાં આખું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. હું બિલ્ડિંગની નીચે લારીમાં પૂરી-શાક બનાવી રહ્યો હતો. આ બિલ્ડિંગમાં એમ્બ્રોડરીનું કારખાનું હતું. સવારે હું આવ્યો તો બિલ્ડિંગમાંથી ધીમે ધીમે કાટમાળ પડી રહ્યો હતો. પણ સવારના 7 વાગ્યા તો વધારે કાટમાળ પડવા લાગ્યો હતો. ત્યારબાદ બધા કારીગરો બિલ્ડિંગમાંથી નીકળી ગયા હતા. બેથી ત્રણ સેકન્ડમાં આખું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું. અંદર 6 લોકો હતા તે તમામ બહાર નીકળી ગયા હતા. બધા જ દોડીને બહાર આવ્યા હતા. હું પણ બચવા માટે દોડીને બીજી તરફ જતો રહ્યો. મારી લારી, સામાન અને મોબાઈલ બધુ જ કાટમાળ હેઠળ દટાઇ ગયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
युवा मंच की मोरानहाट शाखा द्वारा शिल्पी दिवस तथा मंच स्थापना दिवस मनाया गया
असम के प्रख्यात शिल्पी और साहित्यकार रूपकुंवर ज्योतिप्रसाद अग्रवाला की पुण्य तिथि के अवसर पर...
AMBAJI // બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી અને ગબ્બરના દર્શન કર્યા..
દેશ ના 51 શક્તિપીઠમાં અંબાજી આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે, શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ...
रोहा शंकरदेव शिशु विद्या निकेतन में मातृ सन्मिलन के उपलक्ष में नृत्य करती महिलाएं
रोहा शंकरदेव शिशु विद्या निकेतन के रजत जयंती वर्ष के उपलक्ष में अनुष्टित मातृ सन्मिलन के उपलक्ष...
राष्ट्रपति से मिला NDA डेलीगेशन, सरकार बनाने का दावा किया पेश
राष्ट्रीय जनतांत्रिक गठबंधन ने सरकार बनाने का दावा पेश कर दिया है. शुक्रवार को कई बैठकों के दौर...