કાલોલ તાલુકાના મલાવ પ્રાથમિક શાળા ના શિક્ષક ભરતભાઈ કાલોલ તાલુકાના રાબોડ ગામના વતની છેલ્લા ૩૭ વર્ષ થી મલાવ ગામમાં ફરજ બજાવતા હતા અને તેથી ગામ લોકો જોડે ખૂબ આત્મીયતા બંધાઈ ગઈ હોવાથી મલાવ ગામ ના વાલીઓ, તે શાળા ના શિક્ષકો, તેમની પગાર કેન્દ્રમાં થી આવેલ શિક્ષક મિત્રો તથા બહેનો સાથે મલાવ પ્રાથમિક શાળાના ધોરણ ચાર અને ધોરણ પાંચના બાળકો એ શાળા ખાતેથી આખા ગામમાં વરઘોડા રૂપે ડીજે ના તાલે મલાવ કૃપાળુ આશ્રમ લઈ જઈ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો અને અધિકારી ગણ જોડાયા હતા ત્યારે મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ગણ બાળકો સાથે વાલી મિત્રો તથા તેમના સ્ટાફ ના મિત્રો ભાવુક બની આંસુભરી વિદાય આપી હતી