કેન્દ્રીય મંત્રી નીતીશ ગડકરીએ મંગળવારે નાગપુરમાં નોકરશાહી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર તમારા (નોકરશાહો) મુજબ કામ કરશે નહીં, તમે મંત્રીઓ અનુસાર કામ કરશો. નીતિન ગડકરી આદિવાસી વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નાગપુરમાં હતા. તેમણે કહ્યું, ‘હું હંમેશા અધિકારીઓને કહું છું કે સરકાર તમારા કહેવા પ્રમાણે નહીં ચાલે, તમારે ફક્ત ‘જી સર’ કહેવાનું છે. અમે (મંત્રીઓ) જે કહી રહ્યા છીએ તેનો તમારે અમલ કરવો પડશે. સરકાર અમારા હિસાબે ચાલશે.

મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું કે, ‘બાપુ કહેતા હતા કે ગરીબોનું ભલું કરવામાં કોઈ કાયદો આડે નહીં આવે. હું જાણું છું કે ગરીબોના કલ્યાણ માટે કામ કરવામાં કોઈ કાયદો આડે નહીં આવે. પરંતુ જો આવો કાયદો આડે આવે તો તેને 10 વખત તોડતા પણ અચકાતા નથી