મોડાસા તાલુકાના સરડોઈ ગામની યુવતીના લગ્ન અમદાવાદના વિશાલનગર ખાતે રહેતા એક પરિવારના યુવક સાથે કરાયા બાદ ઘરકામ બાબતે પતિ, સાસુ-સસરા અને બે નણંદ ધ્વારા અવારનવાર ઝઘડા કરી તેણીના પતિ ખોટી ચઢામણી કરી શારિરીક અને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ બુધવારે હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

સોનલબેન ઉર્ફે ખુશીબેન મેઘાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેણીના લગ્ન અમદાવાદના વિશાલનગર ખાતે રહેતા અંકિત હરીકૃષ્ણભાઈ રાઠોડ સાથે કરાયા હતા. ત્યારબાદ ઘરકામ બાબતે અવારનવાર ઝઘડા શરૂ થયા હતો જેમાં તેણીના સાસુ જયાબેન, સસરા હરીકૃષ્ણભાઈ છનુભાઈ રાઠોડ નાની બાબતોમાં ઝઘડા કરવાનુ શરૂ કર્યું હતુ.

તેમ છતાં સોનલબેન પોતાનો ઘર સંસાર બગડે નહી તે માટે ત્રાસ સહન કરતી હતી. પરંતુ સાસુ,સસરા, નણંદ પિકીંબેન અને હેતલબેન ધ્વારા સોનલબેનની વિરૂધ્ધમાં તેણીના પતિ અંકિતકુમારને ચઢામણી કરાતી હતી. ત્યારબાદ બધા એકસંપ થઈને ઘરકામ બાબતે ઝઘડો કરી મારઝુડ કરવામાં આવતી હતી. જેથી સોનલબેનએ ત્રાસી જઈને પતિ, સાસુ,સસરા અને બે નણંદ વિરૂધ્ધ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.