રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા હી સેવાના અભ્યાન હેઠળ સ્વચ્છતાનો સંદેશ આપતા અને સ્વચ્છતાને લઈ જન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ હાલોલ બસ સ્ટેશન ખાતે હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર શરદ ભાભોરની અઘ્યક્ષતામાં તેમજ એસટી ડેપોના સ્ટાફની હાજરીમાં રંગમંચના કલાકારોના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ આપી સ્વચ્છતા જાળવવાનું આહવાન કરી સ્વચ્છતાની સમજ આપતું અદભુત નાટ્ય અભિનય એટલે કે ભવાઇના માધ્યમથી હાલોલ બસ સ્ટેન્ડમાં ઉપસ્થિત મુસાફરો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સ્વચ્છતા રાખવા આગ્રહ સાથે અપીલ કરી સ્વચ્છતા અંગેની સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર શરદ ભાભોર દ્વારા હાલોલ એસટી સ્ટેન્ડ ખાતે બહારગામથી આવતા તેમજ રોજે રોજનું અપડાઉન કરતા તમામ મુસાફરોને હાલોલ એસ.ટી. સ્ટેન્ડ ખાતે ગંદકી ન કરી સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા જાળવવામાં સફાઈ કર્મચારીઓને સહકાર આપવા માટેની અપીલ કરવામાં આવી હતી.