અરવલ્લી -ભિલોડા તાલુકાના ખલવાડ ગામના રહેવાસીને કોઈ અજાણ્યા શખ્સોએ લોભામણી લાલચ આપી બેંક ખાતામાંથી રૂપિયા.12,55000ની છેતરપિંડી કરી ઠગાઈ કરતા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. ધુળજીભાઈ સુકાભાઈ રાઠોડ નિવૃત્ત કર્મચારીના આ શખ્સોએ અલગ-અલગ તેમના એચ.ડી.એફ.સી બેન્કના એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવી સિદ્ધાર્થ, સાગર જૈન, વિશાલ શાહ તેમજ અન્ય શખ્સે ઠગાઈ, વિશ્વાસઘાત, અને છેતરપિંડી નો ગુન્હો કરેલ હોવાથી ભિલોડા પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધવામાં આવી હોવાથી ચાર ઈસમો વિરૂદ્ધ કાયદેસર ની કાયઁવાહી હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.