સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા મહાદેવગઢ સરા રોડ પર બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાડીએથી બાઇકમાં પરત ફરતા બે મિત્રો પૈકી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. જ્યારે બન્ને બાઇકચાલકોને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. આ અંગે મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મુળ સરાના અને હાલ માટેલ રહેતા અનિલભાઇ હરીભાઇ મકવાણા અને તેમના મિત્ર દિનેશભાઇ ખીમજીભાઇ ચાવડા સરા-ધ્રાંગધ્રા રોડ પર આવેલી વાડીએ ગયા હતા. જ્યાંથી બાઇક લઇ પરત ફરતા હતા, તે દરમિયાન મહાદેવગઢના બોર્ડથી સરા તરફના રસ્તા પર સામેથી આવતા બાઇકના ચાલકે તેમના બાઇક સાથે બાઇક અથડાવતા અનિલભાઇ અને દિનેશભાઇ બન્ને બાઇકમાંથી નીચે પટકાયા હતાં.જેમાં દિનેશભાઇ ને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. જ્યારે અનિલભાઇને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યારે અન્ય બાઇકના ચાલક મુરાદભાઇ સુલેમાનભાઇને પણ ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે અનિલભાઇએ મુરાદભાઇ સુલેમાનભાઇ વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
   કલા મહાકુંભ જિલ્લા કક્ષામાં લોકગીત સ્પર્ધામાં પૃષ્ટિ પ્રથમ નંબરે 
 
                      #buletinindia #gujarat #junagadh 
                  
   भूसंपादन प्रकरणी संचिका गायब करणाऱ्या श्रीनिवास मुळेवर कारवाई करण्यास उपजिल्हाधिकारी मच्छिंद्र सुकटे यांची टाळाटाळ 
 
                      बीड (प्रतिनिधी) मा.उपजिल्हाधिकारी भूसंपादन ल.पा बीड येथील प्रकरणात भूसंपादन मावेजांमधील झालेल्या...
                  
   ભિલોડા ની રાહબરી હેઠળ ખલવાડ ગામ મુકામે પુરુષ નસબંધી પખવડિયા અંતર્ગત જૂથ મીટિંગ નુ આયોજન કરવામાં આવેલ 
 
                      ભિલોડા ની રાહબરી હેઠળ ખલવાડ ગામ મુકામે પુરુષ નસબંધી પખવડિયા અંતર્ગત જૂથ મીટિંગ નુ આયોજન કરવામાં આવેલ
                  
   ಶಾಸಕರಾದ ಜನಾರ್ದನ ರೆಡ್ಡಿ ಅವರು ತಕ್ಷಣವೇ ವಾಲ್ಮೀಕಿ ಸಮುದಾಯಕ್ಕೆ ಹಾಗೂ ಶ್ರೀರಾಮುಲು ಅವರಲ್ಲಿ ಕ್ಷಮೆ ಕೇಳಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು. 
 
                      ಬೆಂಗಳೂರಿನ ಖಾಸಗಿ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ 'ವಾಲ್ಮೀಕಿ, ದಲಿತ ಸಂಘಟನೆಗಳು ಹಾಗೂ ಶ್ರೀರಾಮುಲು ಅಭಿಮಾನಿಗಳ ಬಳಗದಿಂದ ಮಹತ್ವದ...
                  
   
  
  
  
   
  