માંગરોળ અને માળીયા ના ખેડૂતો ને મધમાખી ઉછેર માટે તાલીમ આપવામાં આવી 

 

 અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન અને એચ ડી એફ સી બેન્ક ના સહયોગથી અવાર નવાર વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકાના ખેડૂતો માટે મધ માખી ઉછેર કરવા માટે તાલીમ નું આયોજન માંગરોળ ખાતે આવેલ બજરંગ વાડી માં યોજી હતી જેમાં કે.વી.કે. કોડીનાર થી પ્રોફેસર રમેસભાઇ રાઠોડ તથા વહીવટી વડા શ્રી તથા મનીષભાઇ બલદાણીયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી થી ડો. ડિ.એમ.જેઠવા તાલીમ આપી હતી તેમજ ચમોડા ગામ ખાતે મધમાખી પાલન કરતા પ્રગતિ શીલ ખેડુત જેઠાભાઇ રામ ને ત્યાં પેર્કટીકલ સમજ આપવામાં આવી હતી 

આ પ્રોગ્રામમાં માંગરોળ એ.સી.એફ. તથા એચ‌.ડી.એફ.સી ના સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવી તમામ ખેડૂતો ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા