પંચમહાલ,ગોધરા સ્થિત GMERS મેડીકલ કોલેજ ખાતે હાલમાં ૧૦૦ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહ્યા છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસથી આગામી સત્રમાં વધુ ૧૦૦ વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા માટે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષ દરમિયાન જ એનાટૉમી વિષયના તબીબ વિદ્યાર્થીઓ માટે માનવ દેહની જરૂર રહેતી હોય છે.તેના અનુસંધાને પ્રથમવાર એનાટૉમી વિભાગે તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન સ્વીકારવાનો પ્રારંભ કરાયો છે. દેહદાન અંગેની સમગ્ર પ્રક્રિયા ડીન શ્રી ડૉ. રાકેશ રજત તથા મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મોના પંડયાના માર્ગદર્શન હેઠળ પુરી કરવામાં આવી છે. દેહદાન કરવા બદલ ડો.જય કોન્ટ્રાક્ટર દ્વારા સ્વ.અનુસુયાબેન જયેન્દ્ર શાહ તથા તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કરાયો હતો. તદ્દઉપરાંત ગોધરા ખાતેની જાહેર જનતાને દેહદાન અંગે જાગૃતતા આવે તથા વધુમાં વધુ દેહદાન કરવાની સવિનય અપીલ મેડિકલ કોલેજ તરફથી કરાઈ છે. દેહદાન એ તબીબી અભ્યાસક્રમ તથા તબીબી સંશોધન માટે એક આશીર્વાદરૂપ પ્રવૃત્તિ હોય છે. જેને માટે સમગ્ર તબીબી સમાજ દેહદાન કર્તાઓનો ઋણી રહે છે.
મૃત્યુ બાદ જે તે વ્યક્તિના સગા-સંબંધી મૃત્યુ પામનારનું દેહદાન કરી શકે છે. આ સાથે જીવીત વ્યક્તિ પણ દેહદાનનો સંકલ્પ લઈ શકે છે. દેહદાન બદલ કોલેજ તરફથી પરિવારજનોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. વધુ માહિતી માટે એનાટૉમી વિભાગ, GMERS મેડીકલ કોલેજ, પંચમહાલ,ગોધરાનો સંપર્ક ડો.જય કોન્ટ્રાક્ટર મો.નંબર ૯૯૯૮૦૭૦૩૮૯, ડો.ઊર્મિલા પટેલિયા મો.નંબર ૯૭૨૭૭૧૭૬૪૦ તથા ડો. મીનલ રાવત મો.નંબર ૯૪૨૮૦૨૮૧૮૪ પર સંપર્ક કરવા GMERS મેડિકલ કોલેજના ડીન ડૉ.રાકેશ રજત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US kills al Qaeda leader Ayman al-Zawahiri in drone strike
US president Joe Biden announced that a CIA drone strike killed al-Qaeda leader Ayman al-Zawahiri...
ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. હેક કરી ફોલોવર્સ સાથે ફ્રોડ કરતી ગેંગની ધરપકડ.....
ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. હેક કરી ફોલોવર્સ સાથે ફ્રોડ કરતી ગેંગની ધરપકડ.....
વાસણ આહિર અને નીમાંબેન આચાર્યને ટિકિટ મળશે કે નહીં, કચ્છ જિલ્લાનું આ છે ગણિત | Gujarat Election 2022
વાસણ આહિર અને નીમાંબેન આચાર્યને ટિકિટ મળશે કે નહીં, કચ્છ જિલ્લાનું આ છે ગણિત | Gujarat Election 2022
বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামী দেৱৰ শ্ৰদ্ধাঞ্জলী অনুষ্ঠান মৰাণত অনুষ্ঠিত কৰিলে অসমীয়া যুৱ মঞ্চই
বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামী দেৱৰ শ্ৰদ্ধাঞ্জলী অনুষ্ঠান মৰাণত অনুষ্ঠিত কৰিলে অসমীয়া যুৱ মঞ্চই
ભારતીય જનતા પાર્ટીના મોવડી દ્વારા ભીલડી મંડળ ભાજપના પ્રમુખ તરીકે રીપીટ કરાયા #newsofgujarati #news
ભારતીય જનતા પાર્ટીના મોવડી દ્વારા ભીલડી મંડળ ભાજપના પ્રમુખ તરીકે રીપીટ કરાયા #newsofgujarati #news