પંચમહાલ,ગોધરા સ્થિત GMERS મેડીકલ કોલેજ ખાતે હાલમાં ૧૦૦ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહ્યા છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસથી આગામી સત્રમાં વધુ ૧૦૦ વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા માટે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષ દરમિયાન જ એનાટૉમી વિષયના તબીબ વિદ્યાર્થીઓ માટે માનવ દેહની જરૂર રહેતી હોય છે.તેના અનુસંધાને પ્રથમવાર એનાટૉમી વિભાગે તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન સ્વીકારવાનો પ્રારંભ કરાયો છે. દેહદાન અંગેની સમગ્ર પ્રક્રિયા ડીન શ્રી ડૉ. રાકેશ રજત તથા મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મોના પંડયાના માર્ગદર્શન હેઠળ પુરી કરવામાં આવી છે. દેહદાન કરવા બદલ ડો.જય કોન્ટ્રાક્ટર દ્વારા સ્વ.અનુસુયાબેન જયેન્દ્ર શાહ તથા તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કરાયો હતો. તદ્દઉપરાંત ગોધરા ખાતેની જાહેર જનતાને દેહદાન અંગે જાગૃતતા આવે તથા વધુમાં વધુ દેહદાન કરવાની સવિનય અપીલ મેડિકલ કોલેજ તરફથી કરાઈ છે. દેહદાન એ તબીબી અભ્યાસક્રમ તથા તબીબી સંશોધન માટે એક આશીર્વાદરૂપ પ્રવૃત્તિ હોય છે. જેને માટે સમગ્ર તબીબી સમાજ દેહદાન કર્તાઓનો ઋણી રહે છે.
મૃત્યુ બાદ જે તે વ્યક્તિના સગા-સંબંધી મૃત્યુ પામનારનું દેહદાન કરી શકે છે. આ સાથે જીવીત વ્યક્તિ પણ દેહદાનનો સંકલ્પ લઈ શકે છે. દેહદાન બદલ કોલેજ તરફથી પરિવારજનોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. વધુ માહિતી માટે એનાટૉમી વિભાગ, GMERS મેડીકલ કોલેજ, પંચમહાલ,ગોધરાનો સંપર્ક ડો.જય કોન્ટ્રાક્ટર મો.નંબર ૯૯૯૮૦૭૦૩૮૯, ડો.ઊર્મિલા પટેલિયા મો.નંબર ૯૭૨૭૭૧૭૬૪૦ તથા ડો. મીનલ રાવત મો.નંબર ૯૪૨૮૦૨૮૧૮૪ પર સંપર્ક કરવા GMERS મેડિકલ કોલેજના ડીન ડૉ.રાકેશ રજત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફૂલકોબી ની ખેતી દ્વારા ખેડૂતો ને લાખો રૂપિયાની કમાણી
શાકભાજીની ખેતી દ્વારા ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. ખેડૂતોને શાકભાજીના સારા ભાવ...
Redmi Note 13 Pro 5G नए और बोल्ड कलर में आज होगा लॉन्च, 200MP कैमरा और 5100mAh बैटरी से है लैस
शाओमी अपने यूजर्स के लिए Redmi Note 13 Pro 5G फोन पेश करता है। इस फोन में ग्राहकों को 200MP...
જુનાગઢ મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડી ના છેલ્લા નવ મહિના નાભાડા ચુકવતા નથી
જુનાગઢ મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડી ના છેલ્લા નવ મહિના નાભાડા ચુકવતા નથી
(પોકસો એક્ટ) જાગરૂકતા અંગે કાનૂની જાગરૂકતા શિબિર યોજાઈ
(પોકસો એક્ટ) જાગરૂકતા અંગે કાનૂની જાગરૂકતા શિબિર યોજાઈ
...
ज़िले में भीषण बारिश का सिलसिला जारी, बारिश के कारण ढहा कच्चा मकान
पन्ना ज़िले में भीषण बारिश का सिलसिला जारी, बारिश की वजह से ढहा कच्चा मकान
गृहस्थी...