વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. આ મહામેળામાં વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે આજે અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલે સેવા કેમ્પોના આયોજકો અને સરપંચઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્વચ્છતા, આયોજન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી. 

          આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે સેવા કેમ્પના આયોજકો અને સરપંચઓએ ગયા વર્ષે પણ મેળામાં ખૂબ સારી સ્વચ્છતા જાળવી છે એવી જ રીતે આ વખતે પણ સ્વચ્છતા જાળવવામાં આવે તે પ્રમાણે કામગીરી કરીએ. તેમણે કહ્યું કે આ વર્ષે સ્વચ્છતા અંગે પ્રથમ વાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરેક ગ્રામ પંચાયતો અને સેવા કેમ્પો ભાગ લઈ સ્વચ્છતા અંગે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેળાને સ્વચ્છ અને રળીયામણો બનાવીએ..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી