ધ્રાંગધ્રામાં ખાદી ભંડાર સામે રહેતા રબારી યુવાનનું આર્મી ખાતે આવેલા સ્ટુડીયોમાં તબીયત લથડતા દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવતા તેનું મોત થયું હતું. ત્યારે મૃતકના ખિસ્સામાં 9 શખ્સને પૈસા આપવાના હોય તેવી ચિઠ્ઠી મળી આવી હતી. ત્યારે મૃતક યુવાનના ભાઈ દ્વારા પોલીસમાં 9 શખસ પૈસાની ઉઘરાણીમાં ધાકધમકી આપતા હોય તેથી યુવાનનું મોત થયાનું જણાવી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા અને આર્મીમાં સ્ટુડીયો ચલાવતા ભાવિનભાઈ રબારી નામના યુવાનનું તા. 4 સપ્ટેમ્બરના રોજ આર્મી ખાતે તબિયત લથડતા દવાખાને સારવારમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે યુવાનનું મોત થયું હતું. ત્યારે મૃતક યુવાનના ખિસ્સામાંથી ધ્રાંગધ્રા મોરબી અમદાવાદ અંકેવાળીયા સહિતના ગામોમાં રહેતા 9 જેટલા શખસ દ્વારા પૈસા માગતા હોવાનું ચિઠ્ઠીમાં લખ્યું હતું. ત્યારે આ યુવાનને દેવુ થઈ જવાથી વ્યાજે નાણાં લીધા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મૃતકના ભાઈ જીતેન્દ્રભાઈ રબારી દ્વારા ધાંગધ્રા પોલીસમાં એક લેખિત અરજી આપી અને જણાવવામાં આવ્યું .મૃતક ભાવિનભાઈ રબારીને આ વ્યાજખોરો દ્વારા આવારનવાર પૈસાની ઉઘરાણી માટે ધાકધમકી આપીને ઉઘરાણી કરવામાં આવતી હતી. તેને લઈને ભાવિનભાઈ ડરી ગયો હતો. તેના લીધે ગભરાઈ જવાથી તેનું મોત થયું હતું. ત્યારે આ આરોપી સામે તાત્કાલિક કડક કાર્ય કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આમ યુવાનના મોતને લઈને તેના નાના 2 બાળકો અને તેની પત્ની નોધારા બન્યા છે. ત્યારે તેમને ન્યાય મળી રહે તે માટે વ્યાજખોરો સામે કડક કાર્ય કરવામાં આવે તેવી લેખિત અરજીમાં માગ કરવામાં આવી હતી. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણા મુદ્દે ધાકધમકી અને મારામારીના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NDA Meeting In Delhi: Congress पर Narendra Modi ने बोला हमला, कहा- लोकतंत्र का सम्मान नहीं करते हैं
NDA Meeting In Delhi: Congress पर Narendra Modi ने बोला हमला, कहा- लोकतंत्र का सम्मान नहीं करते हैं
हिंदी विश्व यात्रा में शामिल होने भारत आए 13 देशों के 31 युवा प्रतिनिधि, साझा किए अपने अनुभव
नई दिल्ली, भारतीय सांस्कृतिक संबंध परिषद (आइसीसीआर) द्वारा आयोजित पहली हिंदी विश्व यात्रा में...
नागमणि का लालच देकर आरोपियों ने एक युवक को उतारा मौत के घाट एक को किया घायल,तीन आरोपी गिरफ्तार
फरियादी अनूप सिंह पिता राम नगीना सिंह उम्र 30 साल निवासी...
રૂા.૭૪.૩૫ લાખના ફાળા સાથે સુરતના સખાવતી દાતાઓએ સશસ્ત્ર સેના ધ્વજદિનમાં ઝોળી છલકાવી
દેશની સુરક્ષા અને અખંડિતતા માટે અડીખમ રહેનારા વીર યોદ્ધાઓનું અભિવાદન કરવા માટે પ્રતિ...
Chhattisgarh First Phase Voting: वोट देने से पहले Raman Singh ने की पूजा-पाठ, जीत को लेकर क्या बोले?
Chhattisgarh First Phase Voting: वोट देने से पहले Raman Singh ने की पूजा-पाठ, जीत को लेकर क्या बोले?