થાનના નવાગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપકુમાર ચંદુભાઈ પાઠકના નેતૃત્વમાં આઠ વર્ષોમાં નવાગામ થાન પ્રાથમિક શાળાએ જિલ્લાની ટોપ શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્ય જી.સી. ઈ.આર.ટી, નિયામક ટી.એસ.જોશી સુરેન્દ્રનગરના કલેક્ટર સંપત,સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ડીડીઓ પવન બંસલ શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે.સંદિપભાઈએ અત્યાર સુધી ટેટ 2,એચટાટ,સ્કૂલ ઈન્સ્પેક્ટર,એસ.આર.જી જેવી પરીક્ષાઓ પાસ કરી હાલ અંગ્રેજી વિષયના એસ.આર.જી.તરીકે કાર્યરત છે. એન.એમ.એમ.એસ. જવાહર નવોદય,સૈનિક સ્કૂલ બાલાચડીની પરીક્ષાઓમાં શાળાના બાળકોએ ઉત્તમ દેખાવ કરી મેરીટમાં તથા સ્કૂલમાં એડમિશન મેળવ્યુ હતુ. નાયબ દંડક જગદીશ મકવાણાના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થતા શાળા પરિવાર તથા ગામ લોકોએ સન્માન કર્યુ હતુ.