સુરેન્દ્રનગર શહેરના પ્રખ્યાત વઢવાણ અને સુરેન્દ્રનગરનો મેળો સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આમ લોક મેળાના આયોજનને લઇ લોકોમાં પણ ઉત્સાહ પ્રથમ દિવસથી જોવા મળ્યો હતો.પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. મેળા દરમિયાન હાસ્યદરબાર, લોકડાયરો સહિત કાર્યક્રમ યોજાશે.ઝાલાવાડમાં ઉજવાતા તહેવારોમાં લોકમેળાઓનું વિશેષ સ્થાન છે. જેમાં સુરેન્દ્રનગર શહેર અને વઢવાણના મેળાના મેદાનમાં યોજાતો મેળો લોકોમાં આકર્ષણ રૂપ હોવાથી અનેક લોકો ઉમટી પડે છે. આથી આ વર્ષ પણ પાલિકા દ્વારા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ વઢવાણનો લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર મધ્યે આવેલા મેળાના મેદાનનો મેળો પણ ખુલ્લો મુકાયો હતો. આથી પ્રથમ દિવસે જ લોકોએ ઉત્સાહ દેખાડતા સારી એવી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.આ પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, સંસ્કૃતિક સમિતીના ચેરમેન સરસ્વતીબેન યોગેશભાઇ કણઝરીયા, બાંકામ સમિતી ચેરમેન બહાદુરસિંહ સોલંકી, જગદિશભાઇ પરમાર, હિતેશ્વરસિંહ મોરી, સ્મીતાબેન રાવલ, પંકજભાઇ પરમાર સહિતના સદસ્યો તથા જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, એસપી ડો.ગીરીશભાઇ પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો ખુલ્લો મુકાયા બાદ મંગળવારે સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે યોજાયા હતા.જ્યારે આજે બુધવારે મેળાનું મેદાન રેલ્વેસ્ટેશન પાસે વઢવાણ રાત્રે 9 કલાકે ડાયરો તથા હાસ્ય દરબાર યોજાશે. જ્યારે ગુરૂવાર ભવ્ય ભાતીગળ લોકડાયરો, શુક્રવાર મ્યુલીકનાઇટ, શનિવારે લોકપ્રિય ગુજરાતી ગીતો, રવિવાર લોકગીતોની રમઝટ બોલાવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Our differences are like Hyderabad vs Kolkata biryani: Trinamool MP on INDIA
Trinamool MP Saket Gokhale said healthy rivalry exists between the parties of INDIA alliance like...
विधानसभा चुनाव से पहले हरियाणा कांग्रेस में बढ़ी अंतर्कलह?
कांग्रेस की महासचिव और हरियाणा से सांसद कुमारी सैलजा ने अपनी पार्टी के वरिष्ठ नेता और पूर्व सीएम...
રાજુલા ટાઉનમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ તથા મોબાઇલ ફોન સહિત કુલ કિં.રૂ.૩૬,૨૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર...
वायुसेना में अग्निपथ स्कीम के तहत अग्निवीरवायु भर्ती प्रक्रिया की सिरोही के विद्यालय पुराने व नया भवन में विस्तार से दी गई जानकारी, 23 अगस्त को देंगे आबूरोड विद्यालय में
वायुसेना में अग्निपथ स्कीम के तहत अग्निवीरवायु भर्ती प्रक्रिया की सिरोही के विद्यालय पुराने व नया...