સાયલાના વાંટાવચ્છ ગામે રહેતા પરિવારની પરીણિતાએ માનસિક અને શારીરિક ત્રાસથી રૂમમાં ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. આ પરિણીતાના ભાઇએ સાયલા પોલીસ સ્ટેશને પોતાની બેનને ત્રાસ આપી મરવા મજબૂર કરનાર સસરા, સાસુ દીયર અને તેના પત્ની સામે ગુનો દાખલ કરાવ્યો છે.સાયલાના વાંટાવચ્છની સીમમાં પોતાને મળેલી જમીનમાં ડાયાભાઇ ઝાંપડીયા અને તેમના પત્ની જેઠીબેન ખેત મજુરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેઠીબેનને પરિવારજનો લાગ-ભાગ બાબતે માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે ડાયાભાઇ સાયલા દીકરા સુરેશને લેવા માટે ગયા હતા. આ દરમિયાન જેઠીબેને પોતાના મકાનમાં એકલા હોવાથી માનસીક ત્રાસના ગળે ફાંસો ખાઇને આપધાત કર્યો હતો.આ બાબતે શીરવાણીયા રહેતા જેઠીબેનના ભાઇ સોમાભાઇ વશરામભાઇ કેરાળીયાને જાણ થતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયું હતું અને દીકરી જેઠીબેનના સસરા લાખાભાઇ ઝપડીયા, સાસુ મીઠીબેન ઝાંપડીયા દીયર દલસુખભાઇ ઝાપડીયા અને તેમના પત્ની સજ્જનબેન સામે મારી નાખવાની ધમકી આપી અવાર નવાર મેણાટોણા મારી મરવા મજબૂર કરતા હોવાના કારણે જેઠીબેને પોતાના મકાને ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર નુ વડોદરા ના ઍરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર નુ વડોદરા ના ઍરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
GTUના નવા પ્રયોગથી વિદ્યાર્થીઓ નિરાશ, ગુજરાતી માધ્યમમાં અભ્યાસનો ક્યોં હતો નિર્ણય
GTUના નવા પ્રયોગથી વિદ્યાર્થીઓ નિરાશ, ગુજરાતી માધ્યમમાં અભ્યાસનો ક્યોં હતો નિર્ણય
આણંદમાં સમાધાન કરવા બાબતે બોલાવી ગાડીથી ઉડાવી દેવાની ધમકી આપી
આણંદ શહેરમાં નંદધામ પવન પાર્ક સામે લીટલ હાર્ટ સ્કુલની બાજુમાં રહેતા વિરેન્દ્રકુમાર જેઠાભાઇ...