DEESA // ડીસા તાલુકાના શેરગંજમાં એક યુવકે તેના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો..

ડીસા તાલુકાના શેરગંજમાં એક યુવકે તેના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો, જેની પત્નિ રક્ષાબંધ ને પિયર જતાં અંતિમ પગલું ભર્યુ હોવાની ચર્ચાઓ થઇ રહી છે, પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ડીસા તાલુકાના શેરગઢ ગામે ભવાનજી અશોકજી ચૌહાણે બુધવારે તેના ઘરે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો, જેની જાણ થતાં લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા..

લોકોમાં ચર્ચાઇ રહ્યુ હતુ કે, ભવાનજી ચૌહાણના પત્નિ રક્ષાબંધને પિયર જતાં તેમણે અંતિમ પગલું ભર્યુ હતુ, જોકે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..