લીંબડી તાલુકાના ઉઘલ ગામે વીજ શોક લાગતાં ખેત મજૂરનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલને સારવાર અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે લીંબડી હોસ્પિટલે ખસેડાયા હતા. ધનાળા ગામના મુકેશભાઈ ઉકાભાઈ કાવેઠિયા અને રાણપુરના અરવિંદભાઈ કુબેરભાઈ ચેખલીયાએ લીંબડી તાલુકાના ઉઘલ ગામના ગીરૂભા જાલુભા રાણાનું વડોદ ડેમ પાસે આવેલું ખેતર ખેડવા રાખ્યું હતું. વરસાદ ખેંચાતા પાકને પિયતની જરૂર પડતી જોઈને બન્ને ખેત મજૂરોએ પાણીની મોટર ઉતારી રહ્યા હતા ત્યારે અચાનક વીજ પાવર શરૂ થઈ ગયો હતો. આથી બન્નેને વીજ શોક લાગ્યો હતો.