રેતી ખનન મામલે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામના એક યુવાને પત્ર લખી આત્મ વિલોપન ની ધમકી આપી,

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બલુન્દ્રા ગામના કિરણભાઈ યે સરકારશ્રીને પત્ર લખ્યો છે કે જો બનાસ નદી માંથી બેફામ રીતે રેતીનું ખનન બંધ કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં ભરવા નહીં આવે તો મારે ના છૂટકે આત્મવિલોપન કરવું પડશે, વધુમાં વાત કરીએ તો હાલમાં બનાસ નદીમાંથી રેતીનું ખનન ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે જેમાં ખનીજ વિભાગ ઘોર નિદ્રા માં સૂઈ રહ્યું હોય એવું દેખાય રહ્યું છે. 

વધુમાં કિરણભાઈ એવું પણ જણાવ્યું કે ખનન માફિયાઓ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહે છે

દેખીતા ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલા આ કિરણભાઈ ને કંઈક થયું તો જવાબદારી કોની?